________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૧) વહાર સર્વ ઘડાઓમાં થાય છે, તેથી માટી–મૃત્તિકારૂપ સામાન્ય સત્તાની અપેક્ષાએ સર્વ ઘડાઓ એક કહેવાય છે, તેમ જેને વ્યક્તિની અપેક્ષાએ અનંત આત્મ સ્વીકારે છે, અને અનંત આત્માઓમાં જ્ઞાનાદિક ધર્મ સરખા રહ્યા છે. જ્ઞાનગુણાદિકથી સર્વથા રહીત કઈ આત્મા નથી, તેથી આત્મ ધર્મની અપેક્ષાએ અનંત આત્માઓ એક સરખા છે, માટે તે કથંચિત્ એક કહેવાય છે. પણ તેથી અનંત આત્મવ્યતિઓની નાસ્તિતા સિદ્ધ કરતી નથી. અર્થાત્ આત્મા અને નંત છે, તેમ વ્યક્તિની અપેક્ષાએ સિદ્ધ કરે છે. સર્વ આમાઓનું જ્ઞાનાદિક ગુણથી એક ત્વપણું જૈન દર્શન સ્વીકારે છે, તેથી વેદાંત દર્શનને પણ જૈન દર્શનમાં સમાવેશ થાય છે પણ વેદાંત આત્માની સત્તાને જ રવીકારી, અનંત આત્મા વ્યક્તિથી ભિન્ન ભિન્ન છે, એમ બીજી બાજુ તરફ નહીં જોતાં તેને અ૫લાપ કરે છે, માટે તે સર્વ દેશી નથી, પણ તે એક દેશી હોવાથી મિથ્યાત્વની વૃદ્ધિ કરે છે. આ વાતથી પણ સિદ્ધ થયું કે, જૈનદર્શન સર્વ દેશી છે, તેથી તેમાં વેદાંત દર્શનનો સમાવેશ થાય છે માટે જેન દર્શન તે સત્ય દર્શન છે.
પ્ર –વિષ્ણવ ધર્મને જૈન ધર્મમાં કેવી રીતે સમાવેશ થાય છે !
ઉત્તરઃ—વૈષ્ણવ ધર્મમાં કૃષ્ણની ઉપાસના થાય છે.
For Private And Personal Use Only