________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ઉપર) પડતું નથી. તેમ આત્માનું પ્રતિબિંબ પડે નહીં. તથા સર્વવ્યાપક બ્રહ્મનું અંશ અંશ રૂપ પ્રતિબિંબ પણ હોઈ શકે નહીં. વળી વિચારવાનું કે પ્રતિબિંબ સામી વસ્તુમાં પડે છે. જેમ મુખનું પ્રતિબિંબ સામી વરતુ દપણમાં પડે છે, તેમ અત્ર પણ બ્રહ્મના પ્રતિબિંબ માટે સામી વસ્તુ બીજી માનવી પડશે. અને સામિ વરતુ માનશે તો, અન્ય જડ પદાર્થની સિદ્ધિ થઈ ત્યારે એક બ્રહ્મ અને બીજે જડ પદાર્થ એમ બે પદાર્થની સિદ્ધિ થતાં, અદ્વૈતતત્વને મૂળથી નાશ થાય છે. માટે જલચંદ્રનું દ્રષ્ટાંત પણ અતતત્વની સિદ્ધિમાં ઘટતું નથી. વળી સમજવાનું કે, જે વરતુ હોય છે, તેને નિષેધ થાય છે. જે વસ્તુ નથી, તેનો નિષેધ કયાંથી હોય! અદ્વૈત એમાં અદ્વૈત અ=નહી -દ્વૈત-બે પણું, બે નહીં. આમાં તત્વને નિષેધ કરે છો, તે તત્વના જ્ઞાનધી કે અજ્ઞાનથી જે કહેશે કે તત્વના જ્ઞાનથી તેમાં પ્રશ્ન કે બે પદાર્થ સતુ છે કે અસત છે ! જે કહેશે કે સત્ છે, તે સત્નો નિષેધ ત્રિકાલમાં થઈ શકે નહીં. જે કહેશે કે, બે પદાર્થ અસતું છે, તો તે કહેવાનું આકાશ કુસુમની પેઠે એકાંત અસત્ વસ્તુ નથી, તો તેને નિષેધ શી રીતે કરી શકાય ! બે અસત્ માનતાં બ્રા પણ અસત્ કર્યું, તેથી મૂલતો હાનિ દેવ પ્રાપ્ત થશે. વળી જડ પદાર્થ અસત્ અને બ્રહ્મ અસત્ નહીં, તેમાં
For Private And Personal Use Only