________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭૩). આત્મપ્રભુ વાસ કરવાના નથી. જ્ઞાનરૂપ દીપકથી હદયમદિર પ્રકાશવાળું કરે. ભક્તિરૂપ છંટકાવ કરો. ધ્યાનરૂપ ગાદી તકીયા બીછાવી દે. સમતાનાં તોરણ બાંધે. ઉત્સાહ પ્રેમના વિજયવાવટા લટકાવી દે. એનાં આમંત્રણ પાટીયાં લગાવી દો. પછી જુઓ કે–તમારા હૃદયમંદિરમાં આત્મપ્રભુને પધરાવતાં કેટલીવાર થાય છે ! જરા માત્ર પણ વાર થશે નહીં. અસંખ્યાત પ્રદેશરૂપ દ્વારીકાનગરી, અને આત્મરૂપ કૃષ્ણ જાણો, અને શુદ્ધ પરિણતિરૂપ રાધા જાણે, આવી રીતે આત્મરૂપ કૃષ્ણને, શુદ્ધ પરિણતિરૂપ રાધાની સાથે અસંખ્યાત પ્રદેશરૂપ દ્વારકા નગરીમાં ધ્યાનચક્ષુથી દે, અને નમન કરો. આત્મસ્વરૂપ કૃષ્ણપ્રભુને હૃદયમંદિરમાં સ્મૃતિપણે સ્થાપવાની
વ્યતા સંપ્રાપ્ત કરશે, એટલે તમારી ભકિતના આધિન આત્મસ્વરૂપ કૃષ્ણપ્રભુ અવશ્ય પધાર્યા વિના રહેશે નહીં. આત્મસ્વરૂપ રામ જાણો અભિમાનરૂપ રાવણ જાણો; અને યોધ્યા સ્વરૂપ અસંખ્ય પ્રદેશ જાણે, શુદ્ધ પરિણતિરૂપ સીતા જાણે. જ્ઞાનસ્વરૂપ લક્રમણ જાણે, તૃષ્ણારૂપ સમુદ્ર જાણે, અભિમાનરૂપ રાવણ શુદ્ધ પરિણતિને હરી, તૃષ્ણારૂપ સમુદ્રની મધ્યે અજ્ઞાનરૂપ લંકા નગરીમાં પડે એમ સમજે. આત્મપ્રભુસ્વરૂપ રામ છે , તે જ્ઞાનરૂપ લમણભાઇની સાથે, સમતા સંતેષ, ધર્યાદિ દ્ધાઓની સાથે,
For Private And Personal Use Only