________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ) ભાવતઃ એક બીજાથી વિરૂદ્ધ એવા પ્રકારની શક્તિ વર્ણગંધરસ સ્પર્શની વિભિન્નતા રહ્યા કરે છે. તેમજ પુણ્ય અને પાપનાં પુદ્ગલે પણ પરસ્પર વિરૂદ્ધ સ્વભાવવાળાં હોય છે, પુણ્યનાં પુગલે જ્યારે શાતા વેદનીય ના હેતુ થાય છે, ત્યારે પાપનાં પુદ્ગલે અશાતા વેદનીયના હેતુભૂત થાય છે. વૈદરાજ લોકમાં પુગલ સ્કંધ સદાકાળે વર્તે છે. વિસા, મિશ્રા, અને પ્રગસા આ ત્રણ પ્રકારે પણ પુદ્ગલે જ પરિણમે છે. પુલ સ્કંધો અનક રૂપે પરિણમે છે. શુભ પુદ્ગલે અશુભરૂપે પણ પરિણમે છે, અને અશુભ પુગલો છે, તે શુભ રૂપે પણ પરિણમે છે. મિષ્ટ પુદ્ગલ અમિષ્ટરૂપે પરિણમે છે, અને અમિષ્ટ પગલે મિષ્ટ રૂપે પરિણમે છે. સુગંધી પુગલ ક્ષણમાં દુર્ગધરૂપે પરિણમે છે, અને દુર્ગધનાં પુદ્ગલ નિમિત્ત પામી, ક્ષણમાં સુગધરૂપે પરિણમે છે. અંધકારનાં પુગલે અજવાળા રૂપે પરિણમે છે, અને અજવાળાંનાં પગલે અંધકાર રૂપે પરિણમે છે. નૈયાયીક તેજના અભાવને તમઃ માને છે, પણ તેની તે ભૂલ છે. તેને અભાવ તે અંધકાર નથી, પણ અંધકાર પુદ્ગલ દ્રવ્ય છે. જેમ તેજની ઉત્પત્તિ અને વિલય છે, તેમ અંધકારની પણ ઉત્પત્તિ અને વિલયતા છે. તેનાં પગલેથી અંધકારનાં પગલેને નાશ થાય છે. જેટલા જેટલા ભાગમાં તેજનાં પગલે
For Private And Personal Use Only