________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૭ ) ભટક્યા કરે તે આત્માનું સેવન ધ્યાન થઈ શકતું નથી. ચિત્તશુદ્ધિ કર્યા વિના, મનુષ્ય ધર્માધિકારી થઈ શકતો નથી. જેના પેટમાં મળ હોય, તેને જુલાબ આપ્યાવિના, પેટ સ્વ૨૭ થતું નથી. તેમ હદયમાંથી રાગ, દ્વેષ, ભય, કોધ, લોભ, ઈર્ષા, વૈર કદાગ્રહ કપટાદિક અશુદ્ધિ ગયા વિના, ચિત્તની શુદ્ધિ થતી નથી. ચિત્તશુદ્ધિ વિના ધર્મક્રિયાઓ યથાર્થફ
ને અર્પતી નથી. સરેવરમાંથી સેવાલ ખસ્યા વિના, સવરમાં ચંદ્રનું પ્રતિબિંબ પડતું નથી. દર્પણની કાલિમા રાખવિના દૂર થતી નથી. પણ સ્વચ્છ થયા વિના દર્પણમાં કોઈ વસ્તુનું પ્રતિબિંબ પડી શકતું નથી. તેમ ચિત્તની શુદ્ધિ થયા વિના, ચિત્તમાં આત્માનુભવ સાક્ષાત્કાર થતો નથી. જેમ ક્ષેત્રની શુદ્ધિ કર્યા વિના, તેમાં બરાબર ધાન્ય ઉગી નીકળતું નથી, તેમ ચિત્તની શુદ્ધિ કર્યા વિના આત્મધર્મમાં પ્રવેશ થતો નથી. મૃત્તિકાની શુદ્ધિ કર્યા વિના ઘટ બનતો નથી. ધાતુની શુદ્ધિ કર્યા વિના જેમ માત્રા બનતી નથી, તેમ ચિત્તની શુદ્ધિ થયા વિના આત્મધર્મસાધનતા થઈ શકતી નથી. પ્રથમ મનઃશુદ્ધિ કરવાની આવશ્યકતા છે. જ્ઞાન, વૈરાગ્ય, પ્રભુભકિત, ગુરૂભકિત, આત્મપ્રેમ, સત્સંગમ, સદ્ગુરૂ ઉપદેશ, વિગેરેથી મનઃશુદ્ધિ થાય છે. પશ્ચાત્ મનઃ સંયમ કરવાથી, ચિત્તની સ્થિરતા થાય છે. અને ચિત્તની સ્થિરતાથી આત્મસ્વભાવમાં રમણતા થાય છે. અને આત્મા
For Private And Personal Use Only