________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧) વિના તથા મેહ વિના કશું કંઈ નથી. અજ્ઞાનથી જ આવી આહિરાત્મભાવની પ્રવૃત્તિઓ થયા કરે છે. અજ્ઞાનથી જ જીવ પારકી પંચાતમાં દેઢડાહ્યો બની આત્મગુણથી ભ્રષ્ટ થાય છે. અજ્ઞાનથી જ પોતાના આત્મામાં સુખ છે, એમ સમજાયું નથી. અજ્ઞાનથી જ અન્યના દોષો જોવામાં કાકવૃત્તિ ધારણ કરી, વારંવાર પિતાના મનને નિંદામાં પ્રવર્તાવી, પોતે નિંદક બને છે. જે બહિરાત્મા; અંતરાત્મા, તથા પરમાત્મસ્વરૂપનું ગુરૂ ઉપદેશ દ્વારા જ્ઞાન થાય, તો આવી દોષપ્રવૃત્તિઓથી નિવૃત્તિ થયા વિના રહે નહિ. માટે હે આત્મન ! સમજ કે બાહ્યવસ્તુમાં પ્રવૃત્તિ તથા લક્ષ દેવાથી બહિરાત્માની પુષ્ટિ થાય છે. માટે ક્ષણે ક્ષણે આત્મસ્વરૂપ સમરણ કર. અન્ય વસ્તુ રૂપ હું નથી, એમ દઢ નિશ્ચય કરી, ખાતાં, પીતાં, ફરતાં, હરેક કાર્ય કરતાં અંતરમાં લક્ષ રાખ. બાહ્યપ્રવૃત્તિમગ્નચિત્તને, ત્યાંથી ખેંચી, અન્તરમાં વાળ અને અન્તરઆત્મસ્વરૂપની ભક્તિ કર.
અન્તરભક્તિથી અન્તરાત્માને ભાવતાં, અંતરમાં જ્ઞાન દશન ચારિત્રને ઉઘાત થાય છે. અને કેવલ શુદ્ધ આત્મસ્વરૂપનું શુદ્ધપગથી તન્મયપણે ભજન (સેવન) કરતાં, અંતરમાં કેવલ જ્ઞાનાદિ ગુણોને ઉઘાત થાય છે. અન્તરાત્મપ્રભુની ભક્તિથી ક્ષાયીક ભાવે શક્તિ પ્રગટે છે. કેવલ આત્મીક શુદ્ધ સ્વભાવે ઉપગથી પ્રવર્તવું, તેવી શાંતતા પ્રાપ્તવ્ય છે. પણ કાયા વાણીની જે એશ તેની સ્થિરતા,
THજની જેલ નથી
For Private And Personal Use Only