________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભામાં અવિદ્યાનો લેશ બચે રહે છે, તેથી તે સંસારમાં પાછો આવે છે, એમ કહેવું આકાશ કુસુમ સટશ છે. કારણ કે જ્યાં સુધી અવિદ્યાનો લેશ માત્ર પણ છે, ત્યાં સુધી મુકતાત્મા કહેવાય નહી. સર્વ વિદ્યાને નાશ થાય, ત્યારે મુતાત્મા કહેવાય છે. માટે તમે કોઈ દેવ વિશેષમાં મુકતાત્માપણું માની લીધું છે, એમ સ્પણ ભારો છે. કહ્યું છે કે ક્ષણે તુ મૃત્યુ નિરાતિ ૫ દેવતાઓ પુક્ષય થઈ ગયા બાદ, મૃત્યુ લોકમાં આવે છે. માટે તમોએ કપેલી મુકિત દેવલોક વિના અન્ય સિદ્ધ થતી નથી તેથી સિદ્ધ થયું કે, તમારી માનેલી મુક્તિ સંસારજ છે. માટે સંસારી જીવ સંસારમાં પાછા જન્મ ધારણ કરે, અને મુકતામાં હરે નહીં. એમ સિત કર્યું. ચોથે પાગ્રહી તમે કહેશે કે મુકતામાને ઈશ્વર સંસારમાં ખેંચી લાવે છે, અને જન્મ જરામરણ કરાવે છે ત્યારે તે એમ માનવાથી સિદ્ધ કર્યું કે મુકતાત્માઓનું સુખ જોઈ, ઇશ્વરને અદેખાઈ આવી, તેથી સંસારમાં તેમને પાછા લાવે છે, તે ઈશ્વર અદેખાઈ દોષવાન ઠર્યો. તથા મુકતાત્માઓ આનંદથી મુક્તિનું સુખ જોગવતા હતા, તેને વાંક વિના એકદમ પાછા સંસારમાં ખેંચ્યા તે ઈશ્વર અન્યાયી થયો. મુક્તાત્માઓ સત્ય સુખ જોગવતા હતા, તેમને ખેંચીને સંસારમાં ઈશ્વરે નાખ્યા તો દયાળુતા પણ રહી નહીં, ઉલટે ઈશ્વર
For Private And Personal Use Only