________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ ) જમમાર્ગ વિશેષ છે, અલબત સંવરમય ચારિત્રમાર્ગ ગૃહસ્થાવાસના ધાર્મિક કૃત્ય કરતાં અધિક છે, આત્મમતિ જ્ઞાન તથા શ્રુતજ્ઞાન હોય, તે પણ વ્યવહારથી સાધપણું અંગીકાર કરી પાળેલો ચારિત્રમાર્ગ વિશેષતઃ કર્મનો ક્ષય કરે છે. દેવતાઓને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, તથા અવધિજ્ઞાન હોય છે, તો પણ તેમનામાં વ્યવહારથી ચારિત્રગુણ અંગીકાર કરવાની શક્તિ નથી. તેથી તેઓ મનુષ્યાવતારમાં જે કોઈ વ્યવહારચારિત્ર અંગીકાર કરે છે, તેમને નમસ્કાર કરે છે, તેમની સ્તુતિ કરે છે, ચોસઠ ઈંદ્રને પણ વ્યવહારચારિત્ર પાળનાર મુનિરાજ વંદ્ય છે, તે ગૃહસ્થજીવ મુનિરાજને વંદન કરેજ તેમાં શું આશ્વર્ય! શ્રી તીર્થકર ભગવાન્ ધર્મમાર્ગ પ્રવર્તાવવા પ્રથમ સાધુ માર્ગમાં અને પ્રવેશ કરાવે છે. અને પોતે ભવ્યજીવને વ્યવહારચારિત્ર અંગીકાર કરાવે છે. કેવલજ્ઞાનીના હુકમને અનુસરી, સર્વજોએ વ્યવહારચારિત્ર અંગીકાર કરેલા મુનિરાજોની વિનયભક્તિ કરવી. તેમનાથી ઉન્મુખ થઈ ઉસૂત્ર પ્રલાપ કરે નહીં. કોઈ એમ કહે કે, હાલના સમયમાં સાધુ નથી, સાધ્વી નથી, શ્રાવક નથી, શ્રાવકા નથી; એમ કહેનારને સંઘની બહાર કાઢો. વ્યવહાર સાધુને વેષપણુ જીનેશ્વર કથિત સૂત્રાનુસારે હોવો જોઈએ. વ્યવહારચારિત્ર અંગીકાર કરવાથી, અનેક પ્રકારની સંસારની ઉપાધિ દૂર થાય છે કાજળની કોટડીમાં રહીને જેમ ડાઘરહિત
For Private And Personal Use Only