________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શનગીતા
આડું આવે છે? શાથી આવે છે ? તેને દૂર કરવા આપણે કે પ્રયત્ન કરે જોઈએ ? આ વાતને ખ્યાલમાં રાખીને જગતગુરૂ, જગતપૂજ્ય, સર્વજ્ઞ પરમાત્મા તીર્થકરેએ, જગત ઉપર વિહાર કરી પૃથ્વીને પાવન કરી, સર્વ આત્માઓને આત્મદર્શનની પ્રાપ્તિ માટે સમવસરણની મધ્યમાં પ્રતિષ્ઠિત થઈને સત્ય માર્ગનો ઉપદેશ આપ્યો હતે. તે સર્વજ્ઞ વાણીરૂપ અમૃતના પ્રવાહને, મહાદેવે જેમ સ્વર્ગગાને માથા ઉપર ઝીલી હતી તેમ, ગણધર દેવાએ પોતાના હૃદય પાત્રમાં સંપૂર્ણ ઝીલીને ભાવિકાલમાં ભવ્યાત્માઓને પરંપરાએ હિત સધાય તે કારણે દ્વાદશાંગ- મહાશાસ્ત્રની રચના કરી છે. તેમજ અન્ય દર્શન પંથના પતંજલિ, કપિલ, બૌદ્ધ વિગેરે મહર્ષિઓએ પણ તે આત્મસ્વરૂપની શોધ માટે પણ ખુબ ખુબ પ્રયત્ન કરેલ છેજે જે સ્વરૂપ તેઓને જેટલા અંશે જેવું સમજાયું તેવું જગતને જણાવવા પ્રયત્ન કરીને ગ્રંથની રચના તેઓએ પણ કરી છે. આ વસ્તુની વિચારણા સર્વ ભવ્યાત્માઓને સખ નયા ચાર નિક્ષેપ, પ્રત્યક્ષ પરિક્ષ રૂપ બે પ્રમાણ વડે સત્ય સમજાય, અસત્ય ને ત્યાગ કરાય, તે માટે આપણા પૂજ્ય ગુરૂ શ્રીહરિભદ્ર સૂરીશ્વર, શ્રી હેમચંદ્રસૂરીશ્વર, આનંદઘન ગીશ્વર વિગેરે મહાપુરૂષવએ. આપણને બેધ આપે છે. તેમના અનેક ગ્રંથે પ્રાકૃત સંસ્કૃત આદિ ભાષામાં રચાયેલા છે, પણ ની વિચારણા બહુ ગહન હોવાથી મારા જેવા અહપ બુદ્ધિ તે જલ્દી ગ્રહણ કરી શકે તે માટે પરમ
For Private And Personal Use Only