________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બે લેતા “અતિદુર્લભ મનુષ્ય ભવ પામીને મનુષ્યને ખાવા પીવામાં વિષય વિલાસમાં દિવસે-મહિના તથા વર્ષે, વ્યતીત કરવામાં આવે તે તે મનુષ્ય ભાવની સફળતા મેળવી શકે નહીં. એટલું જ નહિ પરંતુ પશુ પંખી વિગેરેનું આયુષ્ય બાંધી અત્યંત કષ્ટ દાયક પશુ પંખીના ભવમાં યાતના–વેદના વેઠવાને વખત લાગી આવે એવા દુખો વેઠવા પડે નહી તે માટે યૌવનમાં વિષય કપાળના વિકાને નિવારવા બદલ બુદ્ધિને વાપરવાની ખાસ જરૂર છે. સમજણ વિનાના મનુષ્ય વિષય કષાયના વિકારોમાં સુખ માનતા હેવાથી તેમાં જ આસક્ત બને છે. પણ તેની પાછળ દોડતી આવતી આધિ-વ્યાધિ વિડંબના દેખતા નથી. તેથી જ શોક સંતાપ–પરિતા પાદિકના દુઃખે કદાપી ખસતા નથી.
'પારકાઓની ચિન્તામાં, નિન્દા કરવામાં, તેઓના સંકટ દુદખાદિવેલા ખુશી થવામાં તથા પરિગ્રહ વિગેરેને વધારવામાં વખત વ્યતીત કરવામાં સાચા સુખના સાધને તર-દષ્ટિપાત પણ કયાંથી થાય.
સાચા સુખના સાધને મેળવી તેઓનું રક્ષણ કરવા વિપત્તિઓથી મુક્ત થવાનો અવસર મળે તે માટે સમ્યગૂ જ્ઞાનીઓએ કૃપા કરીને વિવિધ ઉપા બતાવ્યા છે. સાધને બતાવીને બેસી રહ્યા નથી પણ આત્મગુણોતરફ નજર પડે તે માટે વારે વારે પ્રયાસ કર્યો છે. આ આત્મગુણ તરહની નજર તેજ આંતરજ્યોતિ, આ આંતરતિ તરફ નજર રાખવામાં આવે તે આત્મિક-વ્યવહારિક કર્તવ્યમાં ચીકણું કર્મો ન બંધાય. તે માટે અમોએ આ ગ્રંથ નિરૂપણ કરેલ છે. આ વિવેચનમાં દષ્ટિદોષથી તેમજ પ્રિસના ષથી જે ભૂલે રહેલી હોય તે સુધારી વાંચવા ભલામણ છે.
આ આંતર જ્યોતિ ભાગ-૩ અઢી મહિનામાં છાપી આપેલ શ્રી નયન એસના માલીક પંડિત : મફતલાલ ઝવેરચંદભાઈની અમે કદર કરીએ છીએ. તથા આ ગ્રન્થમાં કાને માત્ર અગર બીજા અક્ષરે રહી ગયા જાય તે સુધારી વાંચવા તદી લેશે.
લી.
કીર્તિસાગરસૂરિ
For Private And Personal Use Only