SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વધારે થતું રહેશે, પશુતા ખસી જતાં માણસાઈ અને દિવ્યતાને આવિર્ભાવ થશે. અત્યંત કષ્ટ પડતું હોવાથી આચાર્ય મહારાજને ઉપદેશ પસંદ પડ્યો, શક્ય સદાચાર પાળવા લાગે અને થએલી ભૂલ અને અપરાધોની નિન્દા-ગહ કરતે હોવાથી ઉમાર્ગે જેવાને હવે વિચાર સરખે આવતું નથી. હવે તે ધનાદિનું રક્ષણ થયું અને સંયમ ધર્મમાં ચિત્ત ચેટયું-અને વિચારોમાં સુંદર પરાવર્તન થયું, કાયા માયાની અનિત્ય ભાવના ભાવવા લાગ્યા. - અનિત્યાદિ બાર ભાવનાઓ, ખરાબ વિચારોનું પરિવર્તન કરી સુંદર ધાર્મિક વિચારોને માનસિક વૃત્તિઓમાં સ્થાપે છે. અને તેના ગે મનુષ્યમાં માણસાઈ આવવા પૂર્વક દિવ્યતાને વાસ થાય છે. ધાર્મિક વિચારેથી ભાગ્ય અહોનિશ વધતું રહે છે. તેથી પ્રતિકૂલતા-કણ–વિપત્તિઓને આવવાને માર્ગ મળતું નથી અને વ્યાવહારિક કાર્યો ઘણુ પાપ રહિત બને છે પછી દુઃખાદિકને ભાર છે, કે રહી શકે? આ મુજબ વર્તન કરવાથી સુખને અનુભવ થવા લાગે. અને ભાભવની ભાવટ ભાગવાના સાધને હસ્તગત થયા, શક્ય ધનાદિને ધર્મમાગે-પરોપકાર માગે વ્યય થતો હોવાથી પુણ્યબંધ થવા લાગે. વિચારો નિરન્તર ઉમદા થતા હોવાથી કોઈ માણસ, પ્રથમની ભૂલની અપરાધની વાણું સંભળાવે અગર મેંણ મારે તે પણ કોધાતુર ન બનતાં ક્ષમાને ધારણ કરે છે. સંયમમાર્ગની આરાધના અને બાર ભાવનાઓના વેગે દગા-પ્રપંચાદિના વિચારે પણ આવતા નથી. નમ્રતાના ગે દરેક સગાંવહાલાં તેને સત્કાર સમ્યક રીતિએ કરે છે. અમુક અંશે પરિગ્રહને ત્યાગ હોવાથી માનસિક ચિન્તા બાળતી નથી, અને શાંતિને અનુભવ આવતે રહે છે. For Private And Personal Use Only
SR No.008519
Book TitleAntarjyoti Part 2
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1957
Total Pages585
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy