SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ ધર્મ કહેવાતું નથી. રાગ-દ્વેષ-મેહ મમતાદિને સર્વથા ત્યાગ કરવામાં જ ધર્મને મર્મ સમાએલ છે. ધર્મની આરાધના કરનાર ભાગ્યશાલીએ ધર્મને અમે બબર સમજીને રાગાદિકને સર્વથા-સર્વદા અને સર્વત્ર ટાળવા માટે ઉપગ રાખ તેજ શ્રેયસ્કર છે. ધર્મની આરાધના કરનારમાં પ્રથમ નીતિ ન્યાયને પાયે તેમજ શ્રદ્ધા પ્રથમ હોવી જોઈએ. ત્યારબાદ કરેલી ધાર્મિક ક્રિયાનું ચણતર જે બરાબર થાય તે, અહંકાર-મમકાર-અદેખાઈ આસક્તિ વિગેરે જે દુર્ગણે છે તે ખસવા માંડે. પરંતુ એક બાજુ ધાર્મિક ક્રિયા કરે અને બીજી બાજુ નીતિ-ન્યાય અને શ્રદ્ધાને લણે લાગે અગર લગાડે છે તે પાયે કયાં સુધી ટકે ? એટલે તે પાયે ડગમગી જાય, અને તેના પર કરેલ ચણતરને પડતાં વાર લાગે નહીં. માટે પાયે મજબૂત રહે અને ચણતરમાં ગાબડાં પડે નહીં તે માટે લક્ષ દેવાની ખાસ જરૂર છે. જે ધર્મનું ચણતર ગાબડા સિવાય ટકી રહે તે મેહ અહંકાર ના સામ્રાજયમાં ગાબડા પડે. અત્યાર સુધી કામ-ક્રોધ-લેભાદિક મેહે, કેટલી બરબાદી કરી તેને ખ્યાલ આવ્યું નહીં હોવાથી તેની સત્તામાં તમે દબાઈ રહીને સ્વશક્તિને ગુમાવી બેઠા છે. મહાદિકની સત્તા જેવી તેવી નથી, તેની સત્તામાં ત્રણ વિશ્વના પ્રાણીઓ પરાધીન બન્યા છે માટે ગુમાવેલ સત્તાને પાછી મેળવવી હેય, અને અનંત સત્ય સુખની પ્રાપ્તિ કરવી હોય તે, ધર્મના મર્મને-હેતુઓને બરાબર સમજી આરાધના કરવી. तवनियमेण य मुक्खो, दाणेण य हुंति उत्तमा भोगा, देवच्चणेण रजं, अणसण मरणेण इंदत्तं ॥ For Private And Personal Use Only
SR No.008519
Book TitleAntarjyoti Part 2
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1957
Total Pages585
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy