SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૯ ) * સમાનભાવ વધારે મનુષ્યાપર દર્શાવી તેના વિષયને વધારે વિસ્તાર પામવા દઈએ છીએ ત્યારે, તે સાર્વજનિક દયાભાવ' એવું મોટું રૂપ ધારણ કરે છે. સમાનભાવ દર્શાવવામાં બહુ દ્રવ્ય, બલ્કે બહુ બુદ્ધિ મળની કંઈ જરૂર નથી. નાકસ નામના એક યુરોપીયન વિદ્વાન કચે છે કે, “ સમાનભાવથી એકબીજાના ભલામાટે વધારે લાગણી પ્રેરાશે. ’ એક હૃદયની અન્ય હૃદયપર અસર થયાવિના રહે નહિ. સમાનભાવથી સમસ્ત દુનિયા માંધવ થાય છે. જ્યારે મનુષ્ય અન્યના જીવનને પાતાનું જીવન સમજે છે ત્યારે દૈવી અસર ઉત્પન્ન કરે છે અને સર્વને પાતાના પ્રતિ આકર્ષે છે. ઉત્તમ અને ઉદાર પ્રકૃતિના પુરૂષામાં સર્વથી વધારે સમાનભાવ હાય છે. વિલ્ક્યફોર્સ સમાનભાવના ખળ માટે વધારે પ્રસિદ્ધ હતા. સાક્રેટીસે કહ્યું છે કે “ જેમ મનુષ્યની અપેક્ષા સ્વાર્થ માટે ઓછી થતી જાય છે, તેમ તે પરમાત્મા પાસે જતા જાય છે. ” સમાનભાવ એ યરમાત્માની પાસે જવાને માટે સર્ટીફીકેટ છે. ઘણી વખત એવું અને છે કે વાચકોને સમાનભાવ પુસ્તક વાંચતાં લાગે છે પણુ તેના આચરણમાં દેખાવ દેતા નથી. દુનિયામાં-ગા ગચ્છામાં ભેદ, એકબીજા વચ્ચે ભેદ ! તેમાં શેઠ, નાકરને હલકા ગણે, રાજા પાતાની પ્રજાને હલકી ગણે, અધિકારી પેાતાના નાકરને હલકા ગણે અને પ્રભુની પ્રાર્થના કરીને પ્રભુની કૃપા ચાહવામાં આવે ! આ કેટલા બધા અજ્ઞાન ભાવ ? નાના મેટાની કલ્પનાથી મનુષ્ય પેાતાની અંદર રહેલા આત્માને ઓળખી શકતા નથી. જે મનુષ્યેામાં આત્મારૂપી પરમાત્મા વિરાજી રહ્યા છે તે મનુષ્યા તરફ, દ્વેષની ઈર્ષ્યાની લાગણીથી જેનાર મનુષ્યના આત્મા, ખરેખર માહરૂપ શેતાનની દૃષ્ટિથી દેખનાર છે. આચારમાં સમાનભાવ જેણે ધાયા છે એવા સમાનભાવીની જીંદગી અનેક મનુષ્યેાના કલ્યાણાર્થે થાય છે. આ આર્યાવર્તમાં હાલ કેળવણી વધવા લાગી છે, વ્યાપારો વધવા લાગ્યા છે, ધર્મના પન્થા પણ અલસીયાંની માફક ઉભરાવા લાગ્યા છે; પણ સમાનભાવ તે અદ્રશ્ય થતા જાય છે. કેળવણી પામેલા મનુષ્યેા તીડની પેઠે ઉભરાવા લાગ્યા છે, પણ સર્વ જીવાને સમાન ગણીને તેના પ્રતિ સેવાધર્મ બજાવનારા વિરલ પુરૂષ! દેખવામાં આવે છે. ભાષણાની ભવાઇમાં તાળીઓના ઘડઘડાટે વધવા લાગ્યા છે, કિન્તુ સમાનભાવથી પેાતાના મનુષ્ય બંધુએપ્રતિ વર્તનારા અલ્પ પુરૂષ માલુમ પડે છે. મનુષ્યેા પરમાત્માની સમાન થવા ઇચ્છા કરે છે, પણ પરમાત્માની પેઠે સમાનભાવ ધાર્યાવિના પરમાત્માની કોટિમાં કેમ પ્રવેશ કરી શકે ? માહ્યસત્તા-લક્ષ્મી અને શરીર તથા જાતભેદથી દરેકના આત્માઓને વિષમભાવે દેખનારાઓ, શરી For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy