SearchBrowseAboutContactDonate
Page Preview
Page 793
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૩૬) મોટા થયા છે અને મિથ્યામતિરૂ૫ રાત્રી ઘટવા માંડી છે. સુરૂચિરૂપ વેલે બહુ ફુલી છે અને ફળી છે; તે વસન્તમાં જ્ઞાતાજન આત્મા, પતે સમતારૂપ સ્ત્રીની સાથે કીડા કર્યા કરે છે. પિક અર્થાત કેયલની મધુરાત્મક વાણી ખરેખર કર્ણને મધુર લાગ્યા કરે છે. સુર, (દેવ) મનુષ્ય અને પશુઓ પણ જ્ઞાનરૂપ વસતઋતુના સંબધથી આનન્દના સમૂહવાળાં બની ગયાં છે; એમ શ્રીમદ્ આનન્દઘન કથે છે. શ્રીમદ્ આનન્દઘનજીએ, પ્રભુના જ્ઞાનને વસંતઋતુની ઉપમા આપીને પોતાની આન્તરિક વસતઋતુનું સમ્યગૂરી ત્યાં વર્ણન કર્યું છે. પ્રભુના જ્ઞાનથી આત્માથી જીવને હૃદયમાં વૈરાગ્યભાવ પ્રગટે છે. ખગર્ભિત વૈરાગ્ય અને મેહગર્ભિત વૈરાગ્યનો નાશ થયા બાદ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રગટે છે. પ્રભુની વાણી દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત થતાં વૈરાગ્યભાવને દિવસ માટે થતો જાય છે અને મિથ્યાતિરૂ૫ રાત્રી તે પ્રતિદિન ઘટતી જાય છે. આવી અન્તરની જ્ઞાનરૂપ વસન્તઋતુ પ્રાપ્ત થયે છેતે અનેક પ્રકારના આત્મિક ધર્મની સુરૂચિરૂપ વેલ બહુ ફુલીને ફળે છે અને તે વખતે તે વેલેના માંડવાના નીચે આત્મા સમતાની સાથે બેસીને સહજ સુખની ક્રીડા કરે છે. આત્માની વાણીરૂપ કોયેલ ખરેખર તે વખતે મધુર ગાયન લલકારે છે અને તેથી શ્રોતાઓના મનમાં આનન્દ આનન્દ છવાઈ જાય છે. દેવતાઓ, મનુષ્ય અને પશુઓ પણ પ્રભુની જ્ઞાનરૂપ વસતસતુને લાભ લઈને આનન્દ રસરૂપ બની જાય છે. આવી વસંતઋતુને સર્વોત્તમ મહિમા અવલેકીને આપણે અન્તરમાં આત્મજ્ઞાનરૂપ વસન્તઋતુ પિતાનામાં પ્રગટાવવી જોઈએ, તેમજ તત્ત્વજ્ઞાનરૂપ વસંતઋતુ આખી દુનિયામાં પ્રગટાવવી જોઈએ. વસન્તઋતુનું વર્ણન વાંચવાથી જે આનન્દ થાય છે તેના કરતાં વસન્તને વાસ્તિવિક ભાવ ખરેખર અતરમાં પ્રગટતાં અનન્દઘણે આનંદ પ્રગટે છે. લાડુની વાત કરવામાં જે આનન્દ થાય છે તેના કરતાં લાડુનું જમણ જમતાં ઘણે આનન્દ થાય છે. જેમ જેમ અન્તરમાં આત્મજ્ઞાનની વૃદ્ધિ થતી જાય છે, તેમ તેમ વસન્તઋતુની શેભામાં વધારો થતો જાય છે. આત્મજ્ઞાન થતાં આત્માની અનેક શુદ્ધધર્મની રૂચિરૂપ વેલડીઓ ફેલાવા માંડે છે અને ફળવા માંડે છે તેથી આમામાં આનન્દને પાર રહેતો નથી.' આત્મામાં અનેક સગુણારૂપ છોડવાઓ ખીલવા માંડે છે અને તેથી આ નન્દરૂપ સુગંધને મહામહાટ મહેકી રહે છે. પંડિતોએ અન્તરની વસંતઋતુનો અનુભવ કર્યો છે, તેઓને બાહ્ય વસન્તની શોભા કંઈ હિસાબમાં લાગતી નથી. બાહ્ય વસંતઋતુની શોભા એક સરખી સદાકાલ રહેતી નથી અને અન્તરની વસતઋતુની શેભાતે એક સરખી સદાકાલ રહે For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy