SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) અધ્યાત્મજ્ઞાની વિચારે છે કે, અહા ! નિશ્ચયનયથી મારા આત્મા ખરેખર પરમાત્મા છે, સિદ્ધ છે, યુદ્ધ છે, નિર્લેપ છે, અધ્યાત્મજ્ઞા- અયાગી છે, અલેશી છે, અકષાયી છે, અચંચળ છે, નીની ભાવના, નિષ્કુપ છે, અયોનિ છે, અજ છે, અખંડ છે, અનંત છે, અપર છે, અપરંપર છે, અભાગી છે, અસહાયી છે, અજન્મ છે, અમર છે, વિભુ છે, પ્રભુ છે, ઈશ છે, જગન્નાથ છે, જગદીશ છે, અશરણુ શરણુ છે, પરમેશાન છે, બ્રહ્મા છે, વિષ્ણુ છે, રોકર છે, અરિહંત છે, ગંભુ છે, સદાશિવ છે, અનંત શક્તિમાન છે, અનન્ત ગુણપર્યાયનું ભાજન છે, અકર્તા છે, અભેાક્તા છે, અશેાકી છે, નિર્ભય છે, નિર્માની છે, નિર્માયી છે, નિલાંભી છે, વિકલ્પસંકલ્પરહિત છે, અવ્યાબાધ છે, અવિનાશી છે, અરૂપી છે, અક્રિય છે, અનન્તજ્ઞાની છે, અનન્ત દર્શની છે, અનન્ત વીર્યમય છે, અનન્ત ચારિત્રમય છે, વેદી છે, અખેદી છે, અસ્પર્શી છે, અવણી છે, અગંધી છે, અસંસ્થાની છે, રૂપાતીત છે, એક છે, અનેક છે, અસ્તિનાસ્તિ ધર્મમય છે, વક્તવ્ય છે, અવક્તવ્ય છે, અગુરૂ લધુ છે, અનાશ્રયી છે, અશરીરિ છે, મનરહિત છે, વચનરહિત છે, સર્વના દૃષ્ટા છે, સર્વને સાક્ષી છે, અનન્ય સુખમય છે, અબંધી છે, પૂર્ણ છે, નિત્ય છે, ધ્રુવ છે, જ્યાતિરૂપ છે, અસંખ્ય પ્રદેશી છે, સ્વસ્વરૂપ રમણી છે, સ્વસ્વરૂપ ભાગી છે, સ્વસ્વરૂપના યાગી છે, અનન્ત ધર્મના દાની છે, ષદ્ગુણ હાનિ વૃદ્ધિયુક્ત છે; આ પ્રમાણે અધ્યાત્મજ્ઞાની પેાતાના આત્માની સત્તાને ભાવતા ધ્યાવતા અને અનુભવતા છતા, ખાદ્ઘ શાતા અને અશાતાના પ્રસંગોને સમભાવે વેદે છે અને સમભાવે રહી અનન્ત કર્મની નિર્જરા કરતા છતા વિચરે છે. સિદ્ધાન્તામાં પણ જ્યાં મુનિચેાના અધિકાર આવ્યા છે ત્યાં, અવાળ માટેમાળે વિદ્. આત્માને ભાવતા છતા વિચરે છે’ આ પ્રમાણે ઘણાં દેષ્ટાંતા વાંચવામાં આવે છે. અધ્યાત્મજ્ઞાની પેાતાના આત્મામાં રહેલી પરમાત્મસત્તાને નિશ્ચયનયથી ધ્યાવે છે તેનું કારણ એ છે કે, આત્મામાં રહેલી પરમાત્મતા ખરેખર પરમાત્મસત્તાનું ધ્યાન કરવાથી પ્રકટી શકે છે. અધ્યાત્મજ્ઞાની જેમ જેમ આત્માનું ધ્યાન કરે છે તેમ તેમ તેને આત્માના અસંખ્યાત પ્રદેશમાં રહેલ અનન્ત રૂદ્ધિની પ્રતીતિ થાય છે. આત્માના જ્ઞાનાદિ ગુણેામાં રમણતા કરવાથી જે આનન્દ મળે છે, તે આનન્દ ત્રણ ભુવનના રૂપી પદાર્થોને અનન્તવાર ભોગવવાથી પણ મળતા નથી; એવા દૃઢ નિશ્ચય થવાથી, પરભાવ રમણતામાં અધ્યાત્મજ્ઞાનિની રૂચિ રહેતી નથી. અધ્યાત્મજ્ઞાનીના શરીરને દેખવા કરતાં તેના આત્માને દેખ : For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy