________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૬ )
પસ્તાય છે અને મુખ તથા હાથ કાળા કરીને પરભવમાં ચાલ્યા જાય છે. લક્ષ્મીને ઉપાર્જન કરવાને માટે જે જે પાપા કર્યાં હાય છે તે પણ તેની સાથે જાય છે. પેાતાનાં કરેલાં પાપકૃત્યો પોતાને ભોગવવાં પડે છે. આ ભવમાં જેઆ જેવું વાવે છે, તેવું પરભવમાં તે લણે છે. લક્ષ્મીની મમતાને ધારણ કરનારા મનુષ્યા, અન્યાનું ધન ખેંચીને પેાતાની પાસે એકઠું કરે છે, પણ તેથી અન્યોની કેવી દશા થશે તેના તેઓ વિચાર કરી શકતા નથી. લક્ષ્મીવન્તા લક્ષ્મીના મળે મેક્ષ પ્રાપ્ત કરી શકવાના નથી; કિન્તુ લક્ષ્મીના સુપાત્ર આદિમાં વ્યય કરીને વા લક્ષ્મીની ઉપાધિ તજીને-અન્તરમાં રમણતા કરીને, તે પરમાત્મપદ પ્રાપ્ત કરી શકે છે. લક્ષ્મીથી મનની ચંચળતા વધે છે અને મનમાં અનેક પ્રકારની ચિન્તાએ પ્રગટે છે, માટે લક્ષ્મીની પ્રાપ્તિથી સત્યસુખ મળતું નથી.
હૃદયકમલ સ્થિર થયાવિના અર્થાત્ આત્મા શાન્ત થયાવિના તે એનેા નથી, તેનેા નથી, અર્થાત્ જીવને નથી અને શિવના પણ નથી. હૃદયકમલ સ્થિર થવાથી ( હૃદયજ્ઞાન સ્થિર થવાથી ) પોતાનું અને પરતું ભલું કરી શકાય છે. આત્માના જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણના પ્રકાશ કરી શકાય છે. પરમાત્માની પરિપૂર્ણ આરાધના કરી શકાય છે અને અન્તે આત્માને પરમાત્મરૂપ કરી શકાય છે. આજ હેતુથી શ્રીમદ્ આનન્દઘનજી કથેછે કે, મારી, પ્રભુના નામની સાથે લય લાગી છે અને સંસારની ઉપાધિતાઈ છે. શ્રીમદ્ કથે છે કે, હવે મને સંસારમાં બિલકૂલ રૂચિ થતી નથી. કોઈ વિચક્ષણ આત્મજ્ઞાની સત્ત, આનન્દના ઘન અને અનેક ગુણના સ્થાનભૂત એવા આત્મપ્રભુને બતાવે તેા મારૂં કાર્ય સિદ્ધ થાય. હું તે આનન્દઘન ચેતન પ્રભુનું નામ જપ્યા કરૂં છું. સન્ત પુરૂષ કેાઈ ચેતન પ્રભુને સાક્ષાત્ મતાવે તા આનન્દના પાર રહે નહિ. ચેતનપ્રભુનું નામ દ્વારા સ્મરણ કરતાં ધણા આનંદ થાય છે અને ઉપાધિ દુઃખા ટળી જાય છે, ત્યારે જો તે સાક્ષાત્ મળે તે દુઃખનું નામ પણ ન રહે એમાં શું આશ્ચર્ય ? શ્રીમના ઉપર્યુક્ત હૃદયાદ્ગારથી જણાય છે કે, તે પરમાત્માનું ક્ષણેક્ષણે રટન કરતા હતા. આપણે પણ તેવી દશા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઇએ.
૫૬ ૭૮. ( રાગ રામશ્રી. )
जगतगुरु मेरा, में जगतका चेरा, मिट गया वाद विवादका घेरा. ॥
// નગણ્o o o o
For Private And Personal Use Only