SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૩) થતાં ઉપર્યુકત જેનેતર દર્શનના વિવાદે તથા રાગદ્વેષના વિકલ્પ ટળે છે, માટે શ્રીમાન આનન્દઘનજીએ પદ્દર્શનનું સ્વરૂપ જણુવીને, તથા આત્માની જ ઉપાસના અને આત્મધર્મની પ્રાપ્તિને સાધ્ય સદુપદેશ જણુંવીને જગતપર અતુલ ઉપકાર કર્યો છે. માનવા પ્રમુ બાદ મિટ્ટો, તક મિત્ર નાથ મન કોટા. ખરેખર આ વાક્યથી આત્મદર્શન–આત્મપ્રાપ્તિની અત્યંત તીવ્રછા દર્શાવી છે. હવે તેનું દિગદર્શન કિશ્ચિત કરવામાં આવે છેઆનન્દને ઘન એ આત્મા, શરીરમાં વ્યાપી રહ્યું છે.–કઈ ઠેકાણે છે અને તે અત્ર આવનાર છે એમ નથી. જ્યારે ત્યારે પણું શરીરમાં રહેલા આત્માની પ્રાપ્તિ કરવાની જરૂર છે. આત્માનું દર્શન કરવું, આત્માની નિર્મલતા કરવી. આમ શુદ્ધાત્મસ્વરૂપમય થઈ તેનેજ આવી મળવાનું કહેવામાં આવે છે. આમાની અસ્તિતા સ્વીકારનારાં જૈન, વેદાંત, સાંખ્ય અને નૈયાયિક વગેરે દર્શને આત્માની પ્રાપ્તિ માટે ઘણું કહે છે. આત્માની સ્તુતિકારક ઉપનિષદોમાં શ્રુતિ છે. જેનદર્શનમાં તો આત્માન સાધ્ય–ઉપાદેય સ્વીકારેલ છે. આનન્દન ઘન એ આત્મા છે. આમાની ઉપાસના કરનારને આનન્દગુણનો અનુભવ આવે છે. આખા શરીરમાં વ્યાપી રહેલું અને અનન્તશક્તિમય આત્મતત્ત્વ છે. આત્મા અનન્તગુણનો સાગર છે, તેને પાર મન પામી શકતું નથી. આત્મા અરૂપી છે. રૂપરહિત આત્મા છે, એમ જ્ઞાનિએ આત્માનો સાક્ષાત્કાર કરીને કહ્યું છે. અરૂપી આત્માની ભાવના કરતાં રૂપીપદાર્થોમાં થએલો અહંવાધ્યાસ ટળી જાય છે અને તેથી રૂપીપદાર્થોમાં રાગાદિ પરિણમવડે બંધાવાનું થતું નથી. સર્વ દશ્ય પદાર્થો કેઈ પણ રીતે આત્માને પ્રતિબંધન કરતા નથી. રૂપીપદાર્થો જેવા કે, સુવર્ણ, મતિ વગેરે આ વા જાઓ, તોપણ તરસંબધી હર્ષશોક પ્રગટતો નથી. આત્મા અરૂપી છે અને આત્મામાં રહેલ આનન્દ અરૂપી છે એમ નિશ્ચય થાય છે, ત્યારે દશ્યપદાર્થોમાં ઈષ્ટનિષ્ટત્વ પરિણુમ રહેતું નથી. બાહ્યપદાર્થોના સંબંધમાં આવતાં અને તેઓને વ્યવહાર કરતાં છતાં પણ, અન્તરથી આત્મા તો કટસ્થ સાક્ષી તરીકે અનુભવાય છે. અરૂપી આત્માના જ્ઞાનથી રૂપીપદાર્થો ભાસે છે. જ્યારે વસ્તુસ્થિતિ આ પ્રમાણે છે, ત્યારે મનુષ્યએ દૃશ્ય પદા ના ગુલામ બનવું એ કઈ પણ રીતે ગ્ય નથી. આત્મા અરૂપી છે, એ નિશ્ચય થતાં પશ્ચાત જગતના જડ પદાર્થો માટે મહાન યુદ્ધ કરવાનું મન થતું નથી. આત્મા જડ પદાર્થોના સંબંધમાં રહે છે તેથી તે કંઈ જડ બનતો નથી; વસ્તુતઃ આત્માનું અરૂપપણું નિશ્ચયથી બની ભ. ૩૦ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy