SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૦ ) ખુલ્લો કરે છે અને દુર્ગતિના માર્ગ રૂંધે છે, અર્થાત્ પોતે સંસાર સમુદ્ર તરે છે અને કરોડો મનુખ્યાને તેને લાભ આપતા જાય છે. સદ્ગુરૂષાની સંગતિ કરવી એ પ્રકાશમાં રહેવા બરાબર છે. સત્પુરૂષા ખરેખર દિવ્યદૃષ્ટિધારકા છે, માટે તેઓની સંગતિ કરનારાઓ પેતાની હૃદય ચક્ષુ ખાલે છે. સત્પુરૂષોની સંગતિમાં આવના ચંદનની શીતલતા સમાયલી છે. દુનિયામાં જે જે ઉત્તમ શાસ્ત્રો અને ગ્રન્થા વિદ્યમાન છે તે સત્પુરૂષાના હૃદયમાંથી ઉત્પન્ન થયા છે. સત્પુરૂષા શાસ્ત્રોને મનાવે છે માટે સત્પુરૂષાની સંગતિમાં સર્વ શાસ્ત્રોનું રહસ્ય સમાયલું છે એમ અવમેધવું. સત્તમાગમ સૂર્યની પેઠે મનુષ્યોના હૃદયાના પ્રકાશ કરેછે. મહાત્મા સાધુએ, સૂરિયા, ઉપાધ્યાય, વગેરે સત્પુરૂષો ગણાય છે. સાની શાળા ખરેખર સત્પુરૂષજ છે. સત્સંગતિ કરનારાએ સત્સંગતિરૂપ ગંગાનદીમાં અનન્ત ભવકૃત કર્મમેલને ધ્રુવે છે અને શુદ્ધબુદ્ધ અવિ નાશી અને છે. જેના તેજથી લોકાલાક ભાસે છે એવા આત્મતત્ત્વના સાક્ષાત્કાર કરવા હાય તેા, જ્ઞાની સાધુઓની સામત કરવાની જરૂર છે. શ્રાવક ધર્મના અધિકાર પ્રમાણે શ્રાવકધર્મ અને સાધુધર્મના અધિકાર પ્રમાણે સાધુધર્મ પ્રાપ્ત કરવાની ઇચ્છા હાય તેા, મહાત્મા મુનિ સદ્ગુરૂના સેવક બનવું એઇએ. મનુષ્યમાત્રમાં સદ્ગુણા અને દુર્ગુણા રહ્યા છે. હાલમાં કોઈનામાં સર્વે ગુણા હાતા નથી,કેમકે કોઇનામાં અમુક અંશે દોષ વિશેષ હોયછે અને ગુણા થોડા હોય છે, તેમ કોઈનામાં સદ્ગુણ્ણા વિશેષ હોય છે અને દુર્ગુણા થોડા હાય છે. કાઇના સદ્ગુણુ લેવાય અને દુર્ગુણ ન લેવાય, એવી દશા જેનામાં થઈ છે તેવા મનુષ્ય, ગમે ત્યાં જાય છે પણ સદ્ગુણાનેજ ગ્રહણ કરી શકે છે. કેટલાક મનુષ્યા એવા હાય છે કે તેઓ જેના સમાગમમાં આવે તેના દુર્ગુણાની તેના ઉપર અસર થાય છે, માટે તેવા પુરૂષોએ તે સદ્ગુણી મનુષ્યોના સમાગમમાં રહેવું જોઇએ. જેનામાં ગુણાનુરાગથી એવી શક્તિ પ્રાપ્ત થઈ હોય કે, ગમે તેના ગુણેાજ લઇ શકે તેને, અર્થાત્ ખરી દશા પ્રાપ્ત થએલી હાય તેને, અન્યોને સુધારવા પ્રયત કરવા. અસત્ સંગતિ ખાળ જીવાએ તા કદી કરવી નહિ, એમ જગમાં વ્યવહારધર્મથી ઉપદેશ દેવામાં આવે છે અને દુષ્ટ અને સજ્જન મનુષ્યોની સેાખત સંબન્ધી વિવેક દર્શાવવામાં આવે છે અને દુષ્ટ અજ્ઞાની મનુષ્યાની સામતને ત્યાગ કરવા એમ સિદ્ધાન્ત પ્રતિપાદવામાં આવે છે. સમતા કહે છે કે, હે વિવેક! જગની સ્થૂલ ભૂમિકામાં પણ જ્યારે સુસંગતિ અને કુસંગતિનું ફળ મળે છે, તે મારા ચેતનસ્વામી, For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy