________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૨ ) શ્રુતજ્ઞાનમાં વિજ્ઞાનને સમાવેશ થાય છે. તત્ત્વસંબંધી વિશેષ પ્રકારે સૂક્ષ્મજ્ઞાન થાય છે તેને વિજ્ઞાન કહે છે. જ્ઞાન અને વિજ્ઞાનનું સ્વરૂપ જે પ્રમાણમાં મારે જાણવું જોઈએ તે પ્રમાણમાં યથાર્થ જાણું શકતો નથી. તેમજ શ્રી આનન્દઘનજી પિતાની લઘુતાને દેખાડતા છતા કહે છે કે, હું પ્રભુને ભજવાનું પણ બરાબર પરિપૂર્ણતા જાણી શકતો નથી. પ્રભુને ભજતાં ધ્યાતા, દયેય અને ધ્યાનની એકતા થઈ જાય છે, આત્મા અને પરમાત્માની ત્યાં ભિન્નતા ભાસતી નથી. વિકલ્પ અને સંકલ્પને નાશ થાય છે; એવા પ્રકારનું ભજન (સેવન) હું જાણું - કતા નથી. પ્રભુના ભજનથી આત્મા પ્રભુરૂપ બની જાય છે. મનોવૃત્તિ ખરેખર પરમાત્મમય બની જાય છે. આવી રીતે પ્રભુને ભજવાનું જ્ઞાન પણ જાણતો નથી. શ્રીમદ્ જે અંશે ઉપર્યુકા વિષે પરિપૂર્ણ જાણતા નથી તે તે બાબતમાં પિતાનું અજાણપણું દેખાડે છે તે એક જાતની લઘુતા છે. શ્રી આનન્દઘનજી મહારાજ કહે છે કે, હવે આનન્દના સમૂહભૂત અને અનન્ત જ્ઞાનદર્શન અને ચારિત્રગુણસ્થાનકભૂત એવા પરમાત્માના સમ્યકત્વરૂપ બારણું આગળ રહીને પ્રભુના જ્ઞાનાદિ ગુણેનું યથાશક્તિ પ્રમોદભાવથી પ્રેમ ધારણ કરીને સ્મરણ કરું છું, પ્રભુના સમ્યકત્વરૂપ દ્વાર આગળ પ્રભુના ગુણે ગાતે બેઠે છું, તેથી નિર્ગુણ એવા મારામાં ઢંકાયેલા જ્ઞાનાદિ ગુણે પ્રગટશે, એ મને નિશ્ચય થાય છે. પ્રભુના ગુણાનું ગાન કરતાં જે જે મારે માગવાનું છે એવું પરમાત્મપદ ખરેખર સ્વયમેવ આવરણ ટળતાં મારામાં પ્રગટ થશે.
પ ર૭.
(રા યારાવી.) अवधू राम राम जग गावे, विरला अलख लखावे. ॥ अ०॥ मतवाला तो मतमें राता, मठवाला मठ राता। जटा जटाधर पटा पटाधर, छता छताधर ताता ॥ अ० ॥१॥
ભાવાર્થ –હે અવધૂત આત્મન ! દુનિયા રામ રામ ગાઈ રહી છે. કેટલાક તે રામ રામ રામ એમ બોલીને મોટી મોટી માળાઓ ગણે છે, પણ કેઈ વિરલા રામનું અલક્ષ્ય સ્વરૂપ સમજી શકે છે. રામાનુજ,
સ્વામી, કબીરપંથી, દાદુપથી, નાનકપંથી, નિર્મલા અને ઉદાસીન વગેરે મતવાળાઓ પોતાના મતમાં રાચી રહ્યા છે. મઠમાં રહેનારા શકર, ગિરિ, ભારતી, સરસ્વતિ, પર્વત અને પુરી, વગેરે દશ નામવાળા, શિંગેરીમઠ, દ્વારિકામઠ, જ્યોતિર્મઠ અને શારદામઠ વગેરે મઠમાં રાચીને રહ્યા છે; અથૉત્ પિતાના મઠના રાગી બન્યા છે. મઠનું મહત્વ અને
For Private And Personal Use Only