________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૧)
પૂર્ણતયા જાણતો નથી. પરમાત્માના સ્વરૂપવિષે કઈ પ્રશ્ન કરે તે તેને કેવી રીતે ઉત્તર દેવો તે પણ હું સમગ્ર પરિપૂર્ણ અવબોધી શકતો નથી. ભાવના પરિપૂર્ણ સ્વરૂપને પણ અવધી શકતો નથી. ભક્તિના નવ ભેદ છે અને ભક્તિના ચાર પણ ભેદ છે. સાત નયથી ભક્તિનું સ્વરૂપ વાગ્ય છે. પરમાત્માનો સાક્ષાત્કાર થાય તેવી ભક્તિ પણ હજુ જોઈએ તે પ્રમાણમાં પરિપૂર્ણપણે જાણી શકતા નથી. ભક્તિના પરિપૂર્ણ સ્વરૂપને કેવલજ્ઞાની વિના અન્ય કઈ જાણી શકતું નથી. હું ઉષ્ણુ અને શીતનું પણુ પરિપૂર્ણ સ્વરૂપ જાણી શકતો નથી. આત્માને રતિ અને અરતિ કેવા કારણથી થાય છે, ઘડીમાં આત્મા હર્ષને ધારણ કરે છે અને ઘડીમાં આત્મા શોકને ધારણ કરે છે તેનું પણ પરિપૂર્ણ સ્વરૂપ અવબોધાતું નથી; ત્યારે હે આત્મન ! હું શું માગી શકું! ગુણહીન એવા મારે શું માગવું જોઈએ. ગુણવિનાને ઘટાટોપ અલંકૃત વધ્યા ગાયની પેઠે ફલપ્રદ થઈ શકતું નથી. પૂર્વોક્ત કથન પ્રમાણે મારી દશા છે, તેથી યાચના કરવી વ્યર્થ છે. હૃદયમાં સદ્દગુણે ઉત્પન્ન થાય છે ત્યારે સ્વયમેવ સર્વ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. ગુણેથી ઈષ્ટ પદાર્થની પ્રાપ્તિ સત્વર થાય છે. પરમાત્મસ્વરૂપ પ્રાર્થ સદ્ગણે મેળવવાની અત્યંત આવશ્યકતા છે. અનન્ત જ્ઞાનાદિક ગુણ આમામાં છે. માગ્યાથી કંઈ મળવાનું નથી પણ સગુણે પ્રાપ્ત કરવાથી જ પરમાત્મપદ મળવાનું છે. મારી શક્તિ વડેજ પરમાત્મપદ પ્રગટ કરવાનું છે; માટે સગુણે મેળવવા પ્રયત્ન કરવાની જરૂર છે. એક વિદ્વાન કહે છે કે, “તમે જેની ઈચ્છા કરે છે તે માટે ગુણે મેળવો, જરા માત્ર પણ યાચના કરશે નહીં યાદ રાખશે કે સ્વયમેવ તે ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થવાનીજ.” ग्यान न जानुं विग्यान न जानु, न जानुं भज नामा। आनन्दघन प्रभुके घर द्वारे, रटन करूं गुणधामा.अबधू०॥४॥
ભાવાર્થે-હું જ્ઞાનનું સ્વરૂપ પણ સમ્યગૂરીત્યા અવબોધી શકતો નથી. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન એ પાંચ જ્ઞાનના એકાવન ભેદ થાય છે. મતિજ્ઞાનના અઠ્ઠાવીશ ભેદ થાય છે. શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ છે. અવધિજ્ઞાનના છ ભેદ થાય છે. મન:પર્યવજ્ઞાનના બે ભેદ થાય છે. લોક અને અલોક સર્વ પદાર્થના સર્વ ગુણપર્યાને સાક્ષાત્ એક સમયમાં જાણનાર કેવલજ્ઞાન એકજ છે. પંચજ્ઞાનનું પરિપૂર્ણ સ્વરૂપ તે શ્રી કેવલીભગવાનું જાણે છે. મતિજ્ઞાન અને
૧ પાઠાંતર–૧ નાનું જ નામા.
For Private And Personal Use Only