________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ –હે અનુભવ! હું મનુષ્ય મનુષ્યપ્રતિ મારા હૃદયની કેટલી વાત કહું? હવે તે શુદ્ધચેતન પતિના વિયોગની ચરમદશા અનુભવાય છે. મારા મનમાં શુદ્ધચેતનના સ્વરૂપ વિના અન્ય કઈ વસ્તુનું સ્મરણ થતું નથી. મારા સ્વામીનું શુદ્ધ સ્વરૂપ વિચારું છું ત્યારે એકતાનમય ચિતરેલી પૂતળીની પેઠે સ્થિર થઈ જાઉં છું, અથવા વાયુરહિત દીપકની તિની પેઠે સ્થિર થઈ જાઉં છું; એમનું પક્ષપણે સ્વરૂપ વિચારતાં તલ્લીન બની જાઉં છું અને તે વખતે જાણે સાક્ષાત શુદ્ધચેતન ભેટયા જે આનંદ થઈ રહે છે. સામાન, અનુમાનામાન અને કપમાનમાજને પરોક્ષ માળમાં સમાવેશ થાય છે, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને પક્ષ પ્રમાણમાં સમાવેશ થાય છે, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનનો દેશથકી પ્રત્યક્ષ પ્રમાણમાં સમાવેશ થાય છે અને સર્વથકી કેવલજ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે. માતાને પ્રાદુર્ભાવ ચોથા ગુણસ્થાનકથી છે. ક્ષપશમભાવથી સમ્યક ચેતના, ચોથા ગુણ સ્થાનકથી તે બારમા ગુણસ્થાનક પર્યત છે. ક્ષયોપશમભાવીય સમ્યક ચેતનાનો પક્ષપ્રમાણમાં સમાવેશ થાય છે અને તેથી તે ચેતના દ્વારા આત્માનું ધ્યાન પણ પક્ષપ્રમાણુરૂપ બારમાં ગુણસ્થાનક પર્યત છે. ક્ષાયિકભાવથી શુદ્ધચેતના, કેવલજ્ઞાનરૂપ છે અને તેનો દશમા ગુણસ્થાનકમાં પ્રાદુર્ભાવ થાય છે. પક્ષપણે શુદ્ધચેતના કહેવામાં આવે ત્યારે તે પશમભાવની જાણવી. રાગદ્વેષના ઉપશમાદિ ભાવથી શુદ્ધ થએલી ચેતનાને પણ અપેક્ષાએ શુદ્ધચેતના કહેવામાં આવે છે, પણ તે જ્ઞાનની અપેક્ષાએ ક્ષયોપશમભાવની છે એમ ખાસ લક્ષ્યમાં રાખવું. શુદ્ધચેતના, અનુભવને કહે છે કે હવે મારાથી જીવી શકાતું નથી. મધુમેહ નામને પ્રમેહ જેને થાય છે તે વૈદ્યના વિયોગે જીવી શકતા નથી, તેમ હું પણ મારા આનન્દના સમૂહરૂપ આત્માસ્વામી વિના કેમ જીવી શકું? હે અનુભવ ! હવે કેમ જીવી શકાય, તે વાત તું મારા સ્વામીને જઈને કહે. અને મારા શુદ્ધચેતનસ્વામી ક્યારે મળશે તે જવ!
पद २६.
(૨ માસવરી.) अवधू क्या मागुंगुन हीना, वे गुन गनि न प्रवीना.॥अवधृ०॥ गाय न जानुं बजाय न जानु, न जानुं सुरभेवा । રીગર કાનું રીવીયન વાનું, નગાનું સેવા પૂશા. ૧ પાઠાન્તર–વેતો ન જન જાનન પ્રવીણા ડહેલાની પ્રતિમાં પાઠ છે.
For Private And Personal Use Only