________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ]
વખત સ્થા. સાધુઓની સાથે રહી જાહેર ભાપણાદિ પ્રવૃત્તિઓ કરેલી હોવાથી આપણને સાબીત થાય છે કે તેઓને ભાગ્યે જ કોઈને તરફ તિરસ્કાર કે દ્વેષ જીવનમાં જાગ્યો હોય. સૌની સાથે પ્રેમભાવથી વતન રાખવું ને સત્યપંથે ચાલવું એ તેમના જીવનનું ધ્યેય હતું.
શ્રી. અજિતસાગરજી મહારાજ હવે જ્ઞાનદિશામાં આગળ વધવા માંડયું. સંસ્કૃત પ્રાકૃત ભાષા પર સારો કાબૂ મેળવ્યો અને તે દ્વારા આગમોને ફરી અવલોકયાં. ટીકાઓ, નિર્યુક્તિઓ અને ભાગ્યો તથા ચૂણિઓથી આગમોનું ગૌરવ અવલોકયું. સ્થા. દીક્ષામાં જે વચનશક્તિ અને એજસપણાથી ભારે પ્રસિદ્ધિ અને સન્માન મેળવ્યું હતું તે વચનશક્તિ અને ઓજસની સાથે આગમનું ગૌરવજ્ઞાન તથા ગુરુમહારાજ તરફથી નિરંતર મળતી રહેતી અધ્યાત્મજ્ઞાન વગેરેની સુંદર પ્રસાદી ભળતાં રહ્યાં, તથા તપથી કાયાને પણ નપાવવા માંડી. અઠ્ઠાઈ વગેરે તો ઘણી વાર કર્યા વળી ગાવલનનું તપ કરી જ્ઞાન આરાધના કરી. પરિણામે સાણંદમાં તેમને પં શ્રી. વીરવિજયજી ગણીએ પંન્યાસ તથા ગણપદ સમર્પણ કર્યા. ધનુષ્યના ટંકાર સમા બુલંદ અવાજે સતત દેશના દઈ લેક પર ઉપકાર કરતા પં. શ્રી અજિતસાગરજી ગણીએ સદા પરહિતમાં જ જીવન વીતાવ્યું છે. સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં તેઓએ સુંદર લખવું છે. તેમણે પ્રાકૃત સંસ્કૃત ગ્રંથનાં ભાષાંતરા પણ કર્યા છે, ભીમસેન ચરિત્ર, અજિતસેન ચરિત્ર, ચંદ્રરાજ ચરિત્ર, સ્તુતિઓ, શોભન સ્તુતિ ટીકા સાથે, ધર્મશમબ્યુદય, નેમિનિવાણુ, તિલકમંજરી, શાંતિનાથ ચરિત્ર, મહાકાવ્ય ઉપર ટીકાઓ, શસિંધુ. બુદ્ધિપ્રભા વ્યાકરણ, સુભાષિત સાહિત્ય, બુદ્ધિસાગર સુરિચરિત્ર, શ્રી કલ્પસૂત્રખોધિકા. આ તેમના સંસ્કૃત ભાષામાં લખેલા ગ્રંથ છે. તેમનું સંસ્કૃત સુંદર, લાલિત્યભયુ અને સુગમ છે. વેદાંતની પણ ગ્રંથ રહ્યા છે. વેદાંતરહસ્ય વિ. તેમની લખેલી ગુજરાતી કવિતાઓ પુષ્કળ હોઈ તે મધુર, ભાવનાભરી, સામયિક, સુલલિત અને હૃદયને આહલાદક છે. સુપાસનાહ ચરિત્ર તથા સુરસુંદરી, કુમારપાલ વિગેરે
For Private And Personal Use Only