________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ )
સુરેશ—વાહ ! ભાઇ ! જ્ઞાની સાથે જ્ઞાનીના મેળાપ. નિર ંજન ! આ મેળાપ પછી જ ગુરુએ સવૅગી દીક્ષા લીધી હશે ? નિરંજન—તેઓ વારંવાર મળ્યા નથી. માત્ર પત્ર-વ્યવહારથી તે મળ્યા જેટલે આનંદ મેળવતા. સંવત ૧૯૬૫ માં અમદાવાદમાં શ્રીમદ બુદ્ધિસાગરજીએ તેમને દીક્ષા આપી અજિતસાગર નામ રાખ્યું. પછી તે ન્યાય, વ્યાકરણ, કાવ્ય, કેષ વગેરેના અભ્યાસ કર્યાં. તેમના અક્ષરે એવા સુવ્યવસ્થિત ને સુંદર હતા કે કવિસમ્રાટ નાનાલાલે પણ તારી↓ કરી હતી. પછી તે ક્રમેક્રમે સારા વક્તા તરીકે ખ્યાતિ પામ્યા. સભાજને પર સચેષ્ટ અસર કરે એવા તેમને લંદ અવાજ હતા. ગીતા, ઉપનિષદ, પુરાણુ વગેરેના પણ મજ્ઞ હતા. એવા ચારિત્રશીલ ગુરુદેવને સવત ૧૯૭૨ માં માશીષ શુકલ પંચમીએ સાણંદમાં પંન્યાસ પદવી અણુ થઇ. ત્યારપછી સંવત ૧૯૮૦ માં યાગનિક શ્રીમદ બુદ્ધિસાગરસૂરિજીએ આપણા પ્રાંતિજમાં જ આચાય પદવી આપી.
દિનેશ—વાહ ! ખરેખર મહાપુરુષ. તેમની ઉન્નતિ પ્રશંસાને પાત્ર છે. અવિનાશ ! તેમનાં કાય પણ તેવાં જ હશે ને ? અવિનાશ-વાહ, વિધાલય, ગુરુકલા, એન્ડિ ંગા, 'પાઠશાળાએ વગેરેને પગભર કરવાની તેમના હૃદયમાં તીવ્ર લાગણી હતી. મસ્જી, મંદિર વગેરે કેઇ પણુ સ્થળે ઉપદેશ દેવામાં તે અચકાતા નહિ. લલિત રચનામય અનેક ગ્રંથ રચ્યા. કાવ્યગ્રંથ, સંસ્કૃત ગ્રંથ અને ભાષાન્તર ગ્રંથ પ્રકાશિત યા. તે સાચા સરસ્વતી ઉપાસક હતા. સાચા જ્ઞાનના ઉપાસક હતા.
For Private And Personal Use Only