________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક લેખ વાંચી સંભળાવ્યું હતું, શા. લલુભાઈ કરમચંદ દલાલે ભાતૃભાવ એ વિષય ઉપર સારૂ ભાષણ આપ્યું હતું. પાદરાવાળા વકીલ મેહનલાલ હીમચંદભાઈએ આચારશુદ્ધિ વિષય પર અસરકારક ભાષણ આપ્યું હતું તેથી લોકોના મનમાં ઉત્તમ અસર થઈ હતી. શા. નાગરભાઈ નરોત્તમદાસે આત્મા સંબંધી કેટલાક ઉગારે દશવ્યા હતા. શા. ભગત વીરચંદ ભાઈ કળભાઈએ કેશર શુદ્ધ વાપરવું તે સંબધી ભાષણ આપ્યું હતું. પાદરાવાલા શા. મણિલાલ મેહનલાલે વિવેક સંબંધી સારૂ ભાષણ કર્યું હતું. અમદાવાદ શેઠ. લલ્લુભાઈ રાયજ બગસ્કુલના મોહન નામના વિદ્યાર્થીએ જનેની જાગૃતિ અર્થે અસરકારક ભાપણ આપ્યું હતું. છેલ્લા દિવસે સમાપ્તિ વખતે ગુરૂરાજશ્રી બુદ્ધિસાગરજી મહારાજાએ શાંતિને આશીર્વાદ સભવ્યજીને આપ્યું હતું. તે સંબંધી સર્વ હકીકત અધ્યાત્મ વ્યાખ્યાનમાળામાં આપી છે. છેલ્લી વખતે માણસાના શ્રીસંઘ તરફથી શા. હાથીભાઈ ભૂલચ દે આવેલા ભક્ત શ્રાવકોની બરાબર ભક્તિ ન સચવાઈ હોય તે સંબંધી ક્ષમાના બે બેલ કહ્યા હતા, તેમજ શા. વીરચંદભાઈ કૃષ્ણજીએ ભક્ત શ્રાવક બંધુઓની ભક્તિ બરાબર ન સચવાઈ હોય તે સંબંધી ક્ષમા ઈરછી હતી. આવેલા શ્રાવક વર્ગ તરફથી અમદાવાદના સગુણ શેઠે મોહનલાલ લલુભાઈએ શ્રીસંઘને ઉપકાર માન્યો હતે.
ગુરૂરાજ શ્રી બુદ્ધિસાગરજીનું ક્રમવાર ભાષણ ઉતારી શકાયું નહોતું, તે પણ કેટલુંક ઉતારી છપાવ્યું છે. ત્રણ દીવસ આત્માનંદની ખુમારીમાં પ્રસાર થયા હતા.
જીવ વિચાર નવતર વગેરે તનું જ્ઞાન કરવા છેવટે કેટલાક શ્રાવકે એ ઈચ્છા દર્શાવી હતી, પ્રસંગાનુસાર આ મંડળ બીજીવાર ભરાશે ત્યાં વિશેષ સુધારા વધારા સાથે આત્મહિતમાં પ્રવૃતિ થશે.
For Private And Personal Use Only