SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્વ સામગ્રી પામી હું હવે મારી શક્તિને પ્રકાશ કરવા પ્રયત્ન કરું છું. મારી શક્તિ હું પ્રગટ કરીશ. મારી શકિતને મને વિશ્વાસ છે. આત્મામાં રહેલા સહજાનંદને મને પૂર્ણ વિશ્વાસ છે. મારી ચેતના પ્રતિક્ષણે આત્મસ્વરૂપમાં રંગાય તેમ પ્રયત્ન કરવા કમર કસીશ. પ્રતિદિન અભ્યાસ કરતાં આત્મધર્મને પ્રકાશ થતે જશે, અને તે પ્રમાણે અભ્યાસ કરતાં જીવન પ્રતિદિન ઉચ્ચ થતું જાય છે. અને આત્માને અનુભવ વૃદ્ધિ પામે છે અને છેવટે આત્મા પૂર્ણ ધર્મથી પ્રકાશમાન થશે, પિતાનું સ્વરૂપ પિતાની સ્થિતિમાં રહેતાં પ્રગટ થાય તેમાં શું આશ્ચર્ય છે? અલ. બત કંઈ નથી. પિતાના સ્વરૂપમાં હું ચોલમજીઠના રંગે મળીશ, પરપુદ્ગલવસ્તુઓને મેં અનંતભવમાં અતિવાર ભેગવી જોગવીને એંઠની પેઠે છેડી, હવે મને પુદ્ગલરૂપ એંઠને ભેગ કરવો યુક્ત નથી, અને તેનાથી મને સત્યશાંતિ-ત્રણ કાળમાં પણ–મળનાર નથી. મારૂ જીવન જડવસ્તુઓમાં મુંઝાવાથી સફલ થવાનું નથી પણ સહજાનંદની પૂર્ણ કળા પ્રાપ્ત કરવાથી મારૂ જીવન સફળ થઈ શકે. હવે મને ઈન્દ્ર ચંદ્ર-નાગેન્દ્રના પદની ક્ષણીક મહત્તાની અભિલાષા પણ થતી નથી. શાતા વેદનીયના સંએગો તે કેવળ ઉપાધિરૂપે ભાસે છે, તેથી ત્યાં આત્માની રૂચિ થતી નથી, આત્માના સ્વરૂપમાંજ મને આનંદ છે. પરમાત્માપણું પણ મારા ધર્મને આવિભાવજ છે ત્યારે હવે મને મારૂ સ્વરૂપ અનુભવતાં પરમસંતોષ થાય છે. સબરૂદ્ધિ ઘટ અંતરભાસી, મિટગઈ સકલ ઉદાસી. એ પદને પૂર્ણ અનુભવ થશે, અનેક પુલસ્ક ધની વચ્ચમાં બેઠેલે હું માલુમ પડું છું. મારી આસપાસ પુ ગલસ્કધાની ગમનાગમનની તથા પુદ્ગલન્કંધેની અનેક પ્રકારની રચનાની ધમાલ ચાલી રહેલી અનુભવમાં આવે છે, પણ હું સ્થિરતાથી પિતાના સ્વરૂપને જેતે શાંતિમય For Private And Personal Use Only
SR No.008507
Book TitleAdhyatma Vyakhyanmala
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1903
Total Pages105
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy