________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૬) છે; પણ જેટલે જડ વસ્તુને વિષે રાગ રહે છે તેના કરતાં જડ વસ્તુ ઉપર દ્વેષ ન્યૂન ભાગે રહે છે. વિશેષ જ્ઞાની ગમ્યું. સાંસારિક પદાર્થો અસાર લાગ્યાથી તેના ઉપર થી રૂચિ ઉતરી જાય છે. અને આત્માના જ્ઞાન દન ચારિત્ર ગુણે પ્રાપ્ત કરવા રૂચિ જાગે છે. સંસાર અસાર લાગવાથી સંસાર ઉપર ક્રોધ થાય એમ કહેવું એકાંતે સત્ય કહેવાય નહિ. બાહ્ય વસ્તુ ઉપર કદાપિ ફોધ થાય તેને ત્યાગ કરવાની બુદ્ધિ છે તે તે સાપેક્ષ રીતે પ્રશસ્ય કહેવાય.
સુજ્ઞો! સમજો કે દુ:ખનાં વાદળાં જ્યારે આવી પડે ત્યારે ગભરાવું નહિ. ધૈર્ય ધારણ કરી દુખ સહન કરવું. જે કર્મ પાછલા ભવમાં કર્યા છે, તે ભગવ્યા વિના છુટકે થવાનું નથી. જેમકે કઈ ચોરે ચેરી કરી તેની રાજાએ મહીનાની શિક્ષા ફરમાવી, ચોરને જેલમાં જવું પડયું, હવે કહે શું જેલનું દુઃખ તે રૂવે તેથી નાશ પામી શકે? ના કદી પામી શકે નહિ. ચેતન! કેઈ આપણને દુઃખ દેવા ધારે તો તેના ઉપર ક્રોધ કરતો નહિ આપણે જે કર્મ કર્યા છે તે ઉદયે આવ્યાં છે એમ સમજવું.
મિત્ર ! યાદ રાખજો કે તરવારની ઉપર મધ ચેપડી તેને ચાટીએ તે જીભ કપાઈ જાય તેમ સાંસારિક સુખે તે સરખાં જાણવાં, અથિર આ સંસારમાં આ ભાનું કંઈ નથી. જે પુત્રોની ઉત્પતિથી સુખ બહિરાત્મા
www.kobatirth.org
For Private And Personal Use Only