________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કંઈ દેખાતું નથી તો આપ ધનમાં સુખ નથી એમ શા થી કહો છો?
ઉત્તર–હે ભવ્ય ! હજી તમે આત્માનું સ્વરૂપ જાપ્યું નથી ત્યાંસુધી ધનમાં સુખ માને છે; પણ જે ગુરૂ કુપાએ આત્માનું સ્વરૂપ જાણવામાં આવે તો તમારી ભ્રાંતિ દૂર થયા વિના રહેશે નહીં. જુઓ, પ્રથમ ધન છે તે નવ પ્રકારનું છે. ધન ધાન્ય ક્ષેત્ર વસ્તુ ર તુવ ગુખ્ય ઉદ્દે ચતુષ્પદ્ ઇત્યાદિ જે ધન છે, તેમાં જરા પ| સુખ દેખાતું નથી. આપણે જ્યારે જન્મીએ છીએ ત્યારે ઉપર મુજબ ગણવેલું ધન સાથે જન્મતું નથી તેમ આપણા મૃત્યુ બાદ તે ધન સાથે પણ આવતું નથી, ધન છે તે સુખ દુઃખનું કારણ છે. પણ તે જ કંઈ સુખ કહેવાય નહીં. સુખ કાંઈ આંખે દેખી શકાતું નથી. તાત્વિક સુખ તો અરૂપી છે. અને તે સુખ તે આત્મામાં રહેલું છે.
પ્રશ્ન–શું ત્યારે ધનથી દુઃખ થાય છે? અને જે દુઃખ થતું હોય તો કેવી રીતે થાય છે. તે બતાવે ?
ઉત્તર–હે ભવ્ય ! જુઓ, પ્રથમ ધન મેળવવાની આશાએ જીવ અનેક પ્રકારનાં દુઃખ સહન કરે છે. કેઈ સમુદ્રમાં પેસે છે. કેઈ પર્વત ઉપર ચઢે છે. કોઈ ગુલામ ગીરી કરે છે. કેઈ યાચના કરે છે, તો પણ તે ધન ભાગ્યવન મળી શકતું નથી. અને કદાપિ મળ્યું તો તેને
www.kobatirth.org
For Private And Personal Use Only