________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂર્યને પ્રકાશ જેમ અટકાય છે તેમ જ્ઞાનાવરણીય કર્મના પુદગલના આચ્છાદનથી જ્ઞાનને પ્રકાશ અવરાયો છે. તેથી આપણે દુનિયામાં રહેલી દરેક વસ્તુનું સ્વરૂપ જાણું શકતા નથી, અને મૂઢ બની ગયા છીએ. એ જ્ઞાનાવરણય કર્મને દૂર કરવાને માટે પ્રયત્ન કરવો જોઈએ. પણ જ્ઞાનાવરણીય કર્મનું સ્વરૂપ જાણ્યા વિના તેનો નાશ શી રીતે થઈ શકે. માટે તેનું સ્વરૂપ કહે છે.
૧ જ્ઞાનાવરણીય કર્મના પાંચ ભેદ છે. ? मतिझानावरणीय. २ श्रुतज्ञानावरणीय, ३ अवधि ज्ञानावरणीय. ४ मनःपर्यायज्ञानावरणीय. ५ केवल જ્ઞાનાવરાજ, એ પાંચ ભેદ છે.
ત્યાં પ્રથમ પાંચ ઇંદ્રિય અને છઠું મન એ છ દ્વારા જે જ્ઞાન પ્રગટે છે તેને મતિજ્ઞાન કહે છે. તે મતિ જ્ઞાનના ૨૮ તથા ૩૩૬ ભેટ છે અને ચાર પ્રકારની બુદ્ધિ મેળવતાં ૩૬૦ ભેદ થાય છે.
ચાર બુદ્ધિનાં નામ-ઉત્પતિ ૨ વન િરૂ vરિણા ક ા એ ભેદનું આવરણ કરવા વાળું મતિજ્ઞાનાવરણીય કર્મ છે. જે જીવનાં આવરણ પાતળાં પડ્યાં છે તે જીવની બુદ્ધિ સારી નિર્મળ હોય છે. દરેક જીવ પ્રત્યે આવરણના પાતળાપણાની તારતમ્યતા છે, એ જ કારણથી મતિજ્ઞાન દરેક જીવને એક સરખું હોતું નથી. મતિજ્ઞાનાવરણીય કર્મને જે ક્ષય તેના
www.kobatirth.org
For Private And Personal Use Only