________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિ વે દ ન
શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રકટ થતી શ્રી બુદ્ધિસાગરસૂરિ ગ્રંથમાળાના ૧૧૬ મા ગ્રંથ તરીકે પ્રસ્તુત “ અધ્યાત્મ ગીતા અનુવાદ' પુસ્તિકા તત્ત્વજિજ્ઞાસુઓ સમક્ષ રજુ કરતાં પ્રશત આનંદ થાય છે. પ્રસ્તુત પુસ્તિકા પૂઠ ઉ૦ શ્રી યશોવિજયજી મ.ના જ્ઞાનસાર અને અધ્યાત્મસારની જેમ જૈન ગીતા છે. તેમાં અધ્યાત્મ ક્લેક્ષ ભરેલું છે. આત્મા અને જડની વહેંચણું સુંદર સંસ્કૃત ભાષામાં છે. લેકે સરળ છે. મૂળ ગ્રંથ સ્વપૂ આ શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ પર૯ શ્લોકોને રચેલે છે. તેનું ભાષાંતર પૂ આ શ્રી રદ્ધિસાગરસૂરિએ કરેલું છે.
પ્રસ્તુત પુસ્તક ધાર્મિક પાઠશાળાઓમાં અને કેલેજમાં ચલાવવા લાયક છે. આ પુસ્તકને અભ્યાસ એટલે જૈન ગીતાને સૂમ અભ્યાસ છે,
ખાસ કરીને પ્રસ્તુત મંડળે જે જે લઘુ પુસ્તિકાઓ પ્રકાશન કરવાનું રાવરૂપે સ્વીકારેલું છે, તે આ પુસ્તિકાનું પ્રકાશન નં.૨ રૂપે થાય છે. અનુવાદ થવાથી પ્રસ્તુત પુસ્તિકાનું વાચન સરળ થાય છે, એગ અને અધ્યાત્મનું આત્મા સાથે મિલન થાય છે, સ્વપરની વહેંચણ સમજાય છે, ભૌતિક અને આત્મિક સુખનું સ્વરૂપ-જ્ઞાન થાય છે અને એ રીતે આત્મા સમ્યગદર્શન પામી પિતાને વિકાસ સાધી શકે છે.
For Private And Personal Use Only