SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ વગેરે સંસ્કૃત કે પ્રાકૃત ભાષામાં છે તેમ ક્રિયાઓ અને વિધિ-વિધાનો પણ સંસ્કૃત કે પ્રાકૃત ભાષામાં છે. લોકશાસન અર્થ અને કામ પ્રધાન છે, અને જૈનશાસન ધર્મ અને મોક્ષ પ્રધાન છે. લોકશાસનમાં જીવનાર અર્થ અને કામ માટે તે તે ભાષાઓ હિન્દી-અંગ્રેજી વગેરે શીખે છે અને શીખવે છે તેમ જૈનશાસનમાં જીવનારે ધર્મ અને મોક્ષની આરાધના માટે જૈન શાસનની વહિવટી ભાષા સંસ્કૃત અને પ્રાકૃત શીખવા-શીખવવી જોઈએ. પ્રત્યેક ક્રિયાઓ અને તેની વિધિઓ અને વિધાનો કરવામાં આવે છે, કરનાર કરે છે અને કરાવે છે, પણ એ ક્રિયાના સૂત્રો, વિધિના આદેશ સૂત્રો વગેરે તો સંસ્કૃત-પ્રાકૃત ભાષામય છે, તો તેને સમજવા કે શુદ્ધ ઉચ્ચારથી બોલવા, તે તે ભાષાજ્ઞાનની ગુરુનિશ્રાએ અત્યંત અગત્યતા છે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનું જ્ઞાન એ માટે પણ અગત્યનું છે કે-ધર્મના ગ્રન્થો અને ધાર્મિક ક્રિયાઓની વિધિઓ અશુદ્ધિના માર્ગે ન ચાલી જાય એટલે કે તેમાં પ્રવેશતી અશુદ્ધિઓને રોકવા માટે તે તે ભાષાઓના જ્ઞાનની અત્યંત આવશ્યકતા છે. પ્રતિક્રમણ ભણાવનાર કે કરનાર, શાંતિસ્નાત્ર ભણાવનાર ક કરનાર, એવી રીતે દરેક અનુષ્ઠાનો કરનાર-કરાવનાર સંસ્કૃત કે પ્રાકૃત ભાષાનું જ્ઞાન ન ધરાવતો હોય તો તેના મૂળ આશયને-મર્મને તે સમજી શક્તો નથી-એટલે કે આ સૂત્ર, આ શ્લોક, આ આદેશ શું કહેવા માગે છે? ક્યા આશયથી કયા ભાવથી? આ ક્રિયાઓ કરવાની છે? તેનું જ્ઞાન દૂર રહે છે એટલે કે-સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અનભિજ્ઞ-નહિ જાણનારા દ્વારા થતી ક્રિયાઓ-વિધિઓક્રિયારૂપે રહે છે-જ્ઞાનરૂપે થતી નથી. એટલે દરેક ક્રિયાઓ અને વિધિઓને જ્ઞાન સ્વરૂપે બનાવવા સંસ્કૃત અને પ્રાકૃતભાષા જ્ઞાનની આવશ્યક જરૂર છે. આવશ્યકો જેમ આવશ્યક છે, અવશ્ય કરવાના છે, તેમ ૨૬૪
SR No.008490
Book TitleHaim Sanskrit Praveshika 1
Original Sutra AuthorN/A
AuthorShivlal N Shah
PublisherBhadrankar Prakashan
Publication Year2004
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy