________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘુતં ચ માંસ ચ સુરા ચ વેશ્યા, પાપદ્ધિ ચોરી, પરદારસેવા, એતાનિ સપ્ત વ્યસનાનિ લોકે, ઘોરાતિઘોર નરક નવન્તિ. (૧૨) માંડલી-સૂત્ર, અર્થ, ભોજન, કાલગ્રહણ, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, સંથારો.
નવદીક્ષિત સાધુ આ સાત માંડલીનાં સાત આયંબિલ કરે ત્યારે તે નવદીક્ષિત સાધુ-સાધુની સાતે માંડલીમાં ભળી શકે, શક્તિ હોય તો સાતે આયંબિલ સાથે કરવા. અશક્ય વચ્ચે (ત્રણ અથવા ચાર આયંબિલ) બેસણું કરે ત્યારે ભોજનમાંડલીમાં ભળી શકે. સુત્તે અર્થે ભોઅણકાલે, આવત્સએ ય સક્ઝાએ; સંથારે ચેવ તહા, સત્તા મંડલી જઇણો (૬૯૨) પ્ર0 (૧૩) ભાવસાધુનાં લક્ષણ-ભાવશ્રાવક ઉપચારથી દ્રવ્ય સાધુ કહેવાય છે, અને પંચમહાવ્રતધારી અનુપચરિત દ્રવ્ય સાધુ હોય તે, આ બન્ને ભાવસાધુપણું પામે.
બન્ને પ્રકારના જે દ્રવ્ય સાધુ-તે ભાવસાધુનાં સાતે લક્ષણ લક્ષમાં રાખી યથાશક્તિ સાતેમાં ઉદ્યમ કરે, તો તે બન્ને ભાવસાધુપણું પામે, અન્યથા ભાવસાધુપણું પામે નહિ.
માર્ગાનુસારિણી ક્રિયા-ઘણા સંવિજ્ઞ ગીતાર્થ પુરુષની આચરણ તે માર્ગ તે માર્ગને અનુસારે ગૌચરી પડિલેહણ વિહાર વગેરે સર્વ ક્રિયા કરે.
- ૬૪
For Private And Personal Use Only