________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨-જ્ઞાનવિનય-જ્ઞાન મેળવવું, અને જ્ઞાનનો વિનય કરવો. ૩-ચારિત્રવિનય-ચારિત્રમાં પ્રવૃત્તિ કરવી, અને ચારિત્રીનો વિનય. ૪-તપવિનય-તપમાં પ્રવૃત્તિ કરવી, અને તપસ્વીનો વિનય
કરવો.
પ-ઔપચારિક વિનય-પ્રતિરૂપયોગjજનરૂપ અને અનાશાતના રૂપ એમ મુખ્ય બે પ્રકારે છે.
તેમાં પહેલો ત્રણ પ્રકારનો છે. ૧-કાયિક ર-વાચિક ૩માનસિક. તેમાં કાયિક વિનય આઠ પ્રકારનો છે. ૧-ગુણી માણસ આવે ત્યારે સામા જવું તે-અભુત્થાન વિનય. રતેમના સામું હાથ જોડી ઉભા રહેવું તે-અંજલિબદ્ધ વિનય. ૩તેમને આસન આપવું તે-આસન પ્રદાન વિનય. ૪-તેમની વસ્તુ લઇ ઠેકાણે રાખવી તે-અભિગ્રહ વિનય. પ-તેમને વંદન કરવું તે-કૃતિકર્મ વિનય. ૯-તેમની આજ્ઞા સાંભળવા તૈયાર રહેવું તે-શુશ્રુષા વિનય. ૭-તેમની પાછળ જવું તે-અનુગમન વિનય. ૮-તેમની પગ ચંપી વિ. કરવી તે-સંસાધન વિનય.
વાચિક વિનય ચાર પ્રકારનો છે ૧-હિતકારી બોલવું. ૨ખપ જેટલું બોલવું. ૩-મધુર બોલવું. ૪-અનુસરતું બોલવું.
માનસિક વિનય બે પ્રકારે ૧-ખરાબ વિચારોને અટકાવવા ૨-સારા વિચારો કરવા.
For Private And Personal Use Only