________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિધા અભ્યાસ માટે ગુરુ શ્રેષ્ઠ છે, રવિ અને શુક્ર મધ્યમ છે. અશ્વિની, ભરણિ, પુનર્વસુ, પૂર્વા-ત્રણ, મઘા, સ્વાતિ, અનુરાધા, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, રેવતી, આ સારાં નક્ષત્રો છે. ૧,૭,૮,૧૩, ૧૪,૧૫,૩) આ સિવાયની તિથિઓ સારી છે. વિદ્યાની એકાગ્રતા માટે પૂર્વ અને ઉત્તર દિશા શ્રેષ્ઠ છે.
નવીન પાત્ર વાપરવા માટે અશ્વિની, મૃગશીર્ષ, પુષ્ય, હસ્ત, ચિત્રા, અનુરાધા, રેવતી, તથા સોમ અને ગુરુવાર સારો છે.
નવીન વસ્ત્ર ધારણ કરાવા માટે સૂરે જિર્ણ સસી અદ્ર, મલિણ સણિ ધારિઅં; ભોમે દુફખાવ હોઇ, વલ્થ સેસેહિ સોહણ. ............... ૧
નવીન વસ્ત્ર રવિવારે પહેરવાથી જલદી જીર્ણ થાય, સોમવારે પહેરવાથી વારંવાર ધોવું પડે, શનિવારે પહેરવાથી જલ્દી મેલું થાય, મંગળવારે પહેરવાથી દુ:ખ આપનાર થાય, બાકીના બુધ, ગુરુ અને શુક્રવાર નવીન વસ્ત્ર પહેરવા માટે સારા છે. અથવા ધન-જ્ઞાન અને સુખ મળે છે.
દગ્ધાતિથિ અશુભ છે અને ૧-૨-૩-૧૩-૧૫ સારી છે. અશ્વિની-રોહિણી-પુનર્વસુ-પુષ્પ-ઉ.ફા.-હસ્ત-ચિત્રા-સ્વાતિ આ નક્ષત્રો સારા છે.
૪૯
For Private And Personal Use Only