________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર જણાવ્યા મુજબના દાંભિક આત્માઓ જે કેવળ પોતાના સ્વાર્થેજ એકઠા મળવારૂપ સંઘો, મંડળો, તેમજ જુદા જુદા નામાભિધાનવાળા જુથો, બહુમતી-તત્ત્વરૂપે જ્યારે જુઠાણા ફેલાવી રહ્યા છે, ત્યારે શ્રી સંઘને (મોક્ષ પુરૂષાર્થી આત્માઓ) માટે ચેતવણીરૂપ કેટલીક જાણવા જોગ હકીકત અમો નીચે જણાવીએ છીએ. આજના જગતમાં ચાલી રહેલા કેટલાક પ્રપંથી
જુઠાણાઓ (૧) એકમતિ, બહુમતિ અને સર્વાનુમતિના પ્રપંચી ધોરણે જુઠવાદીઓ અને ટોળાશાહીઓના દુષ્ટ-દુરાશયી સિદ્ધાન્તોનું દબાણ. (૨) હિંસા, જુઠ અને ભ્રષ્ટાચારને અનુક્રમે સમયધર્મ, અનિવાર્ય સંજોગો, અને પ્રગતિને નામે ચડાવીને સામાન્ય માણસોને છેતરવા માટે ચાલતા અનેક પ્રકારના પ્રચાર પ્રયત્નો. (૩) દુર્બુદ્ધિદાયક અને દુરાચારીઓની મોટા મોટા ખોટા વિશેષણોથી પ્રશંસા કરીને, જેવી કે મોટી મોટી પદવીઓ આપીને, ડીગ્રીઓ આપીને, ચંદ્રકો આપીને, તેમજ ઉચ્ચ સત્તા સ્થાને બેસાડીને, બાળ જીવોને ઉન્માર્ગે દોરવા માટેના મોટા આડંબર સહિતના પ્રચાર પ્રયત્નો. (૪) શક્તિરહિતમાં દેવબુદ્ધિ, સંસારમાં તીવ્ર આસક્તિવાનમાં ગુરૂબુદ્ધિ અને જડ-પૌદ્ગલિક પદાર્થોમાં સુખબુદ્ધિ ધરનારા મૂઢ આત્માનો સંસર્ગ-પરીચય અને પ્રશંસા કરાવવાના પ્રપંચીપ્રચાર પ્રયત્નો.
૧૨૭
For Private And Personal Use Only