________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુની કથા તોડી પાડે. ૨૮-પોરિસિ વેળા થઇ, ગોચરી વેળા થઈ, એમ કહી પર્ષદા ભાગી નાખે. ૨૯-સભાને ડહાપણ બતાવવા ગુરુએ કહેલી વાતને પોતે વિસ્તાર કરી બતાવે. ૩૦-ગુરુના શયા-સંથારાદિને પગ લગાડી ખમાવે નહિ. ૩૧-ગુરુના સંથારા-આસન ઉપર બેસે. ૩ર-ગુરુથી ઉંચા આસને બેસે, ગુરુથી અધિક મૂલ્યવાળાં વસ્ત્રાદિ વાપરે. ૩૩ગુરુના સમાન આસન રાખે, ગુરુના સમાન વસ્ત્રો પહેરે.
સંખ્યા 38 (૧) અતિશય-અભૂતરૂપ-ગંધવાળું તેમજ રોગ-પરસેવો અને મેલ રહિત શરીર, સુગંધીદાર શ્વાસ, દુધ જેવા સફેદ અને નિર્મળ લોહી અને માંસ, આહાર-વિહારની ક્રિયાને ચરમ ચક્ષુવાળા દેખી શકે નહિ. (આ ચાર જન્મથી હોય) કોટાકોટી દેવ-મનુષ્ય અને તિર્યંચો એક યોજનામાં સમાય, એક યોજન સુધી દરેકને પોતપોતાની ભાષામાં સમજાય તેવી વાણી, સૂર્ય કરતાં અધિક તેજસ્વી-મસ્તક પાછળ ભામંડળ હોય-સવાસો યોજન સુધી રોગ, વૈરવિરોધ, મુષક આદિનો ઉપદ્રવ, મારીમરકી, અતિવૃષ્ટિ, વૃષ્ટિનો અભાવ, દુકાળ, અને સ્વપર ચક્રનો ભય ન હોય (આ અગીયાર ઘાતકર્મના ક્ષયથી ઉત્પન્ન થાય) ધર્મચક્ર, ચામર, પાદપીઠ સહિત સિંહાસન, ત્રણ છત્ર, રત્નમયધ્વજ, સુવર્ણ કમળ ઉપર ચાલવું, ત્રણ ગઢ (સમવસરણ), ચારમુખે દેશના, ચૈત્યવૃક્ષ, કાંટા ઉંધા થાય, વૃક્ષો નમી જાય, દુંદુભી નાદ, વાયુ અનુકૂલવાય, પક્ષિઓ
For Private And Personal Use Only