________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવગુરુ ઓળખાવિયા રે, દીધો વિધિ નવકાર પશ્ચિમ મહાવિદેહમાં રે, પામ્યા સમકિત સાર રે, પ્રાણી શુભ ધ્યાને મરી સુર હુઆ રે, પહેલાં સ્વર્ગ મઝાર પલ્યોપમ આયુ ઍવી રે, ભરત ઘરે અવતાર રે, પ્રાણી .. ૭ નામે મરચી યૌવને રે, સંયમ લીએ પ્રભુ પાસ દુષ્કર ચરણ લહી થયો રે, ત્રિદંડીક શુભ વાસ રે, પ્રાણી ૮
(ઢાળ બીજી) નવો વેશ રચે તેણી વેળા, વિચરે આદીશ્વર ભેળા, જળથોડે સ્નાન વિશેષે, પગે પાવડી ભગવે વેશે.... ધરે ત્રિદંડી લાકડી મોટી, શિર મુંડણ ને ધરે ચોટી, વળી છત્ર વિલેપન અંગે, ભૂલથી વ્રત ધરતો રંગે.......... ૨ સોનાની જનોઈ રાખે, સહુને મુનિ મારગ ભાખે સમોસરણે પૂછે નરેશ, કોઈ આગે હોશે જિનેશ.............. જિન જંપે ભરતને તામ, તુજ પુત્ર મરિચી નામ વીર નામે થશે જિન છેલ્લા, આ ભરતે વાસુદેવ પહેલાં. . ૪ ચક્રવર્તી વિદેહે થાશે, સુણો આવ્યા ભરત ઉલ્લાસે મરિચીને પ્રદક્ષિણા દેતા, નમી વંદીને એમ કહેતા. ...... ૫ તમે પુન્યાઈવંત ગવાશો, હરિ ચક્રી ચરમ જિન થાશો નવિ વંદુ ત્રિદંડીક વેશ, નમું ભક્તિયે વીર જિનેશ........ ૩ એમ સ્તવના કરી ઘેર જાવે, મરિચી મન હર્ષ ન માને મહારે ત્રણ પદવીની છાપ, દાદા જિન ચક્રી બાપ........ ૭
૧૧૦
For Private And Personal Use Only