________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીપ્રભુનું ૨૭ ભવનું સ્તવન (પાંચ ઢાળ) (દોહા)
શ્રી શુભવિજય સુગુરુ નમી, નમી પદ્માવતી માય ભવ સત્તાવીશ વર્ણવું, સુણતાં સમકિત થાય સમકિત પામે જીવને, ભવ ગણતીએ ગણાય જો વળી સંસારે ભમે, તો પણ મુગતે જાય વીર જિનેશ્વર સાહિબો, ભમિયો કાળ અનંત પણ સમકિત પામ્યા પછી, અંતે થયાં અરિહંત (ઢાળ પહેલી)
પહેલે ભવે એક ગામનો રે, રાય નામે નયસાર કાષ્ટ લેવા અટવી ગયો રે, ભોજન વેળા થાય રે, પ્રાણી! ધરીએ સમકિત રંગ,
જિમ પામિયે સુખ અભંગ રે, પ્રાણી
૧
૨
૩
For Private And Personal Use Only
૧
મન ચિંતે મહિમા નીલો રે, આવે તપસી કોય દાન દેઈ ભોજન કરું રે, તો વાંછિત ફળ હોય રે, પ્રાણી ૨
મારગ દેખી મુનિવરા રે, વંદે દેઈ ઉપયોગ
પૂછે કિમ ભટકો ઈહાં રે, મુનિ કહે સાથ વિયોગ રે, પ્રાણી૩
હર્ષભરે તેડી ગયો રે, પડિલાભ્યા મુનિરાજ
ભોજન કરી કહે ચાલીએ રે, સાથ ભેળા કરું આજ રે, પ્રાણી૪
પગવટીએ ભેળા કર્યાં રે, કહે મુનિ દ્રવ્ય એ માર્ગ સંસારે ભૂલા ભો રે, ભાવ માર્ગ અપવર્ગ રે, પ્રાણી .... ૫
૧૧૫