________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમી તિથિ સ્તવન
(ઢાલ-૧). શ્રી રાજગૃહી શુભ ઠામ, અધિક દિવાજે રે; વિચરતા વીર જિણંદ, અતિશય છાજે રે. ચોત્રીશ અને પાંત્રીશ, વાણી ગુણ લાવે રે, પાઉં ધાર્યા વધામણી જાય, શ્રેણિક આવે રે. .. તિહાં ચોસઠ સુરપતિ આવી, ત્રિગડું બનાવે રે; તેમાં બેસીને ઉપદેશ, પ્રભુજી સુણાવે રે. સુર નર ને તિર્યચ, નિજ નિજ ભાષા રે; તિહાં સમજીને ભવતીર, પામે સુખ ખાસા રે........... તિહાં ઇન્દ્રભૂતિ ગણધાર, શ્રીગુરુ વીરને રે; પૂછે અષ્ટમીનો મહિમાય, કહો પ્રભુ અમને રે. તવ ભાખે વીર નિણંદ, સુણો સહુ પ્રાણી રે; આઠમ દિન જિનનાં કલ્યાણ, ધરો ચિત્ત આણી રે...... ૩
(ઢાલ-૨) શ્રી ઋષભનું જન્મ-કલ્યાણ રે, વલી ચારિત્ર લહ્યું ભલે વાણ રે ત્રીજા સમ્ભવનું ચ્યવન કલ્યાણ. ભવિ તુમે અષ્ટમી તિથિ એવો રે, એ છે શિવ-વધૂ વરવાનો મેવો. ......
શ્રી અજિત-સુમતિ નમિ જમ્યા રે, અભિનંદન શિવપદ પામ્યા રે; જિન સાતમા ચ્યવન દીપાવ્યા.....ભવિ.૨
૧૧૦
•.... ભવિલ
For Private And Personal Use Only