________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૩) સયણાસણવત્થ વા, ભરપાણે વ સંજએ;
અર્દિતસ્સ | કુધ્ધિજ્જા, પચ્ચકખે વિ દીસઓ (દo વૈ0) વસ્ત્ર, ભોજન, પાણી, વિન્ટ હોવા છતાં તેમ જ પોતે નજરે દેખવા છતાં ગૃહસ્થો ન આપે તો તેમના ઉપર ક્રોધ કરવો નહિ - તથા તેમની નિન્દા પણ કરવી નહિ, પરંતુ પોતાને લાભાંતરાય કર્મનો ઉદય છે તેમ માનવું, તથા તપોવૃદ્ધિ થશે, એમ માની મનને સમભાવમાં રાખવું.
અને ગૃહસ્થો આપે તો રાજી થવું નહિ, પરંતુ સંયમપુષ્ટિ થશે એમ માનવું. (૯૪) તત્ય સે નો કપ્પા અદફખુ વઇત્તએ (કલ્પ૦ ૨પર) શ્રદ્ધાળુ શ્રાવકને ત્વાં અજાણી હશે કે નહિ? એવી અનિશ્ચિત) વસ્તુ માગવી નહિ, અનેક દોષોનું કારણ હોવાથી, પરંતુ કારણે કૃપણને ત્યાં માગવામાં વાંધો નહિ. (૯૫) ગોચરી-પાણી દૂર લેવા જવાથી તથા જ્યાં સાધુ-સાધ્વી
ઓછાં જતાં હોય ત્યાં જવાથી ઘણા કર્મોની નિર્જરા થાય. (૯૬) પકાયદયાવાનપિ સંયત દુર્લભં કરોતિ બોધ;
આહારે નીહારે જુનુસિ પિડુગ્રહણે ચ ... ૧ ક્રિયાપાત્ર અને દયાળુ સાધુ પણ આહાર અને નીહારમાં ઉપયોગ ન રાખે તથા અયોગ્ય આહાર ગ્રહણ કરે તો બોધિબીજને દુર્લભ બનાવે છે, માટે અયોગ્ય આહાર ગ્રહણ ન કરવામાં અને આહાર વાપરવામાં તેમજ સ્થાડિલ જવામાં ઘણો જ ઉપયોગ રાખવો જોઈએ.
૧૦૯
For Private And Personal Use Only