________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નિર્દોષ આહારને પણ રાગ-દ્વેષ, વખાણ કે નિન્દા કરતો તેમજ આહાર આપનારના વખાણ કે નિન્દા કરતો ખાય તો ચારિત્રને કોલસા અને ધુમાડા જેવું બનાવે છે.
(૮૩) અશનાદિ આહાર જેવી રીતે આલોવવામાં આવે છે તેવી રીતે પાણી-ઔષધ આદિને પણ આલોવવા જોઈએ. (૮૪) ગૃહસ્થની રજાથી ખાસ કારણે મુનિ જાતે પણ પાણી વહોરી શકે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૫) અણાહારી વસ્તુ પણ ખાસ કારણ વિના લેવી નહિ. (૮૬) ચા, તમાકુ, છીંકણી આદિનું વ્યસન રાખવું નહિ. (૮૭) સૂર્યાસ્ત પહેલા બે ઘડી (૪૮ મિનિટ)માં ભોજન પાણી વાપરનારને રાત્રિભોજનનો દોષ (અતિચાર) લાગે છે, માટે પેથડ શા મંત્રીની માફક સાંજે બે ઘડી પહેલા આહાર-પાણી વાપરવાનું બંધ કરી પચ્ચક્ખાણ કરી લેવું જોઈએ.
અહ્નો મુખેડવસાને ચ, યો દ્વે કે ઘટિકે ત્યજેસ્; નિશાભોજનદોષો, અનાત્યસો પુણ્યભાજનમ્ (વ્યા૦ ૧૭) રાત્રિભોજનના દોષને જાણનારો જે આત્મા દિવસની આદિમાં અને અંતમાં બે બે ઘડીમાં ખાતો-પીતો નથી તે પુન્યશાળી બને છે. (૯૦ પ્રાo)
આજે દરેક તપસ્વી આત્માઓ દિવસના આરંભમાં બે ઘડીનો ત્યાગ કરે છે, પરંતુ દિવસના અંતમાં બે ઘડીનો ત્યાગ ક૨ના૨ા ભાગ્યે જ જોવા મળશે, કેટલાકને આ વચનનો ખ્યાલ પણ નહીં હોય, માટે દિવસના અંતે બે ઘડીમાં ખાવા-પીવાનું છોડવા લક્ષ રાખવું.
૧૦૭
For Private And Personal Use Only