SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ધૈર્ય ગુણ સંબધે મહેન્દ્ર રાજાનું કથાનક, ( ૨૮ ) જે પુરુષ દાક્ષિણ્ય ગુણવાળા હાય છતાં તેનામાં ધૈર્ય ગુણુ ન હેાય તે XIK 333 આરભેલા ધમ કૃત્યને પૂરેપૂરું પાર પહેાંચાડી શકતા નથી અર્થાત્ ડિ3, ધૈર્ય ગુણુ વિના આભેલ કાર્ય પૂરું થઈ શકતુ જ નથી, માટે હવે અહીં ધૈર્ય ગુણ વિશે કહેવાનુ છે. ભલે ગમે તેવી આપદાઓ આવી પડી હાય, ધનને નાશ થઈ જતા હાય વા પેાતાના સ્નેહીજનાના વિરહ સહવાના પ્રસંગ આવી પડે તેવુ થવાનુ હાય તે પણ જે ગુણને લીધે પુરુષનું મન જરા પણ ચલિત ન થાય--ડાલાયમાન ન થાય, તે ગુણનું નામ ધૈય. જેનામાં એવા ધૈય ગુણુ હાય તે જ પુરુષ ધીર કહેવાય છે અને એવા ધીર પુરુષ જ પાતે ઉપાડેલા ધર્મના ભારને નિભાવી શકે છે અને બીજે ધીરજ વિનાના કાયર માનવ જરાક જેટલું કષ્ટ આવી પડતાં જ પાતે સ્વીકારેલા એ ધર્મ ભારને પણ ઘડીકમાં જ ફેંકી દે છે. જ્યાં સુધી સંસાર છે વા જન્મ છે ત્યાં સુધી દેહ હાવાના જ. જ્યાં સુધી દેહ ત્યાં સુધી આપઢ્ઢાએ પુછુ આવવાની જ માટે ગમે તેવી આપદાઓ આવી પડે તેા પણ ધીર પુરુષા સમુદ્રની પેઠે પેાતાની મર્યાદાને છેડતા નથી. ધીર પુરુષા અને કાયર પુરુષો એ બન્ને ઉપર આપાએ એક સરખી રીતે જ આવી પડે છે, છતાં એ એમાં વિશેષતા એ છે કે આવી પડેલી આપદાઓને ધીર પુરુષા સહન કરે છે ત્યારે કાયર પુરુષો એ આપદાઓ આવી પડતાં ખૂખખૂબ ત્રાસ ભોગવે છે. આપદાએ આવી પડતાં ધીર પુરુષ એવા વિચાર કરી શકે છે કે-આ તે પૂર્વે કરેલાં દુષ્કૃત્યાનું મૂળ ઉપસ્થિત થયું છે માટે તેને અવશ્ય સહન જ કરવું જોઈએ. જ્યારે માનવના મનમાં એવા ભાવ થાય ત્યારે જ તેનાં પ્રાચીન કર્માનું ઉત્તમ નિજ રહ્યુ થાય છે, એથી જ વિવેકપૂર્વક સહન કરવાની વૃત્તિને ઉત્તમ નિજ઼રા કહેવામાં આવી છે. નહીં તે પશુ પણુ જ્યારે અતિ દુઃખ પામે છે ત્યારે પણ ઉંકારા--અવાજ કરતા નથી તેમ રડતા પણુ નથી. પરંતુ પશુની એ સહુનશક્તિને, વિવેક વિનાની હાવાથી, ઉત્તમ નિશ ન કહી શકાય. એ પ્રમાણે જે પુરુષ શુભ વિવેક સહિત ધૈર્યના કવચને પહેરી પેાતાના શરીરને ઢાંકે છે તે મહાઆપત્તિ આવી પડતાં પણ રાજા મહેન્દ્રની પેઠે હારતા નથી. એ રાજવીની કથા આ પ્રમાણે છેઃ— અપરાજિતા નામે નગરી છે. એ નગરીની આસપાસ પવિત્ર-ચાકખા પાણીથી ભરેલાં અનેક સાવરા છે અને એ સરાવરામાં કુવલય, કમળ, કલ્હાર અને સે। પાંખડીવાળાં કુમળે ખીલે છે, તેથી એ નગરી સુશેભિત છે. વળી એ નગરીની આજુબાજુ અનેક મનાહર બગીચા છે અને એ બગીચાઓમાં પેપટ, મેના, વાંદરા, કપિંજલ, જલકાગડા "Aho Shrutgyanam"
SR No.008477
Book TitleKatha Ratna Kosa Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1956
Total Pages230
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy