SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ III આત્માને લાભહાનિનું નિરૂપણ જે અત્યારસુધી નહિં જાણેલું-ન અનુભવેલું-ન વાંચેલું કે વિચારેલું તેવું બહુ જ સુંદર રીતે કર્યું છે; તે ઉપરાંત પ્રસંગે પાત બીજા અનેક મહત્વના વિષયે વર્ણવવામાં અને ચર્ચવામાં આવ્યા છે, જેવા કે ઉપવન વર્ણન, ઋતુ વર્ણન, યુદ્ધ વર્ણન આદિ વર્ણને, રાજદુતના પરિચયથી થતા લાભ, પુરૂષને માર્ગ, દેવ દર્શન, પુરૂષ પ્રકારે, કરવા લાયક અને નહિં કરવા લાયક, છોડવા લાયક્ર, ધારણ કરવા લાયક, વિશ્વાસ નહિ કરવા લાયક, આઠ આઠ બાબત વગેરે નેતિક વિષયે, સામુદ્રિક, છીંક વિચાર, રત્ન પરિક્ષા, રાજ્ય લક્ષણો આદિ લેકેને આકર્ષક વિષય, દેવગુરૂ ધમતત્વનું સ્વરૂપ, અષ્ટ પ્રાતિહાર્ય, રત્નત્રય, ધર્મતત્વ પરામર્શ, જિન પ્રતિમાકારધારી મત્સ્ય અને કમળે, જિન પૂજાનું વિસ્તૃત સ્વરૂપ, મૂર્તિ પૂજા વિષયક, અનંતકાય વગેરેના ભક્ષણનું સદાપણું આદિ ગંભીર ધાર્મિક વિષયે, ઉપધાન, વિજારોપણ, મૂત્તિ પ્રતિષ્ઠા, તપ વિધિ આદિ વિધાને તે સાથે અનેક કથાઓ સુભાષિત વિવિધ વિષયેનું સ્વરૂપ આપેલું છે. તે સિવાય બીજા ઘણું વિષયે જે કે પ્રસ્તાવનામાં જણાવેલાં છે તેમાંથી ઘણા વિષયે તદ્દન નવીન, જાણવા, આદરવા, અનુભવવા જેવા તેનું ગ્રંથકર્તા કૃપાળુ આચાર્ય મહારાજે વિદ્વત્તાપૂર્ણ રીતે આ ગ્રંથમાં વિવેચન કર્યું છે. આ ગ્રંથ મનનપૂર્વક વાંચતા તેના રચયિતા આચાર્ય ભગવાન શ્રી દેવભદ્રસૂરીશ્વરજી મહારાજ કેટલા બહુશ્રુત આચાર્ય હતા, તેમજ તેમની કૃતિઓ કેટલી પાંડિત્યપૂર્ણ અને ગંભીર અથવાળા છે તે સહજે સમજી શકાય તેવું છે. આ ગ્રંથમાં આવેલી કથાએ થોડીક પ્રચલિત છે તેને બાદ કરતાં લગભગ બધી કથાઓ નવીન, અપૂર્વ, અને કોઈવાર નહિ સાંભળેલી, નહિં વાચેલી એવી અનુપમ હોવાથી મનનપૂર્વક વાંચતાં વાચકને શ્રદ્ધાળુ બનાવે છે. આ મૂળ ગ્રંથ મારે સાડા અગીયાર હજાર ક પ્રમાણ હોવાથી ગ્રંથનો અનુવાદ ( ગુજરાતી ભાષાંતર) છપાવતાં તેને લગતા સાહિત્યમાં પ્રથમ છપાવવાના કામ આ ભાગમાં ટકાઉ, ઊંચી જાતના જે વાર્યા છે, તેવા હાલમાં ફરી કન્ટ્રોલ આવવાથી નહિ મળી શકવાથી, તેમજ તેને લગતું (છાપકામનું) અન્ય સાહિત્ય વગેરે સારું મળવાની મુશ્કેલી ફરી ઉભી થતાં તેની રાહ જોવા જતાં આખો ગ્રંથ છપાવતાં ઘણી લાંબી મુદત થાય તેમ લાગવાથી તેમજ મૂળ ગ્રંથ પ્રકટ થયા પછી આ પ્રય વ્યાખ્યાન ઉપયોગી, નિરંતર પઠન, પાઠન માટે અતિ મહત્વને લેવાથી અનુવાદ જલદી પ્રકટ કરવાની માંગણીઓ પણ થવાથી જેમ બને તેમ વેળાસર આ પ્રથમ ભાગ પ્રક્ટ કરવામાં આવેલ છે. આ કથરત્ન ગ્રંથ એટલે બધા સુંદર, ઉપયોગી અને અતિ મહત્વને એટલા માટે છે કે, બીજ અનેક ગ્રંથ વાંચવાથી જે અનેક વિષયે, વર્ણન, ધાર્મિક બાબતે તેના વિધિવિધાન વગેરે તેમાંથી મેળવી શકીએ છીએ, તે સર્વે આ એક જ (કચારનષ ગ્રંથના વાંચન અને અધ્યયનથી મેળવી શકાય છે, જેથી આ અનુપમ ગ્રંથ જ્ઞાનભંડાર, લાઈબ્રેરી, પુસ્તકાલય માટે નિરંતરના ઉપયોગી તેમજ શૃંગારરૂપ હોવાથી આ ગ્રંથ ઉદેશ પ્રમાણે પ્રાચીન સાહિત્યહાર કરવા ભક્તિપૂર્વક પ્રકટ કરવામાં આવે છે, જેથી જગ્યામા-વાંચકે મનનપૂર્વક વાંચી આમકલ્યાણ સાધે એમ પરમાત્માની પાસે પ્રાર્થના કરીએ છીએ. ખા પ્રથમ ભાગમાં સમ્યકત્વના વીશ ગુણે અને તેને લગતી વી કથાઓ સાથે આપવામાં "Aho Shrutgyanam
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy