________________
॥ जयन्तु वीतरागा.॥
ક્યારત્નકેશની પ્રસ્તાવના.
આજે આચાર્ય શ્રીદેવભદ્રસૂરિવિરચિત રાકેશના યથાર્થ નામને ભાવત એ કથા રત્નકેશ નામને અતિદુર્લભ ગ્રંથ પ્રકાશિત કરી જેન કથાસાહિત્યરસિક વિદ્વાનના કરકમળમાં ઉપહારરૂપે અર્પણ કરવામાં આવે છે, જેની સાવંત પરિપૂર્ણ માત્ર એક જ તાડપત્ર ઉપર લખાયેલી પ્રાચીન પ્રતિ, ખંભાતના “શ્રી શાંતિનાથ જૈન જ્ઞાનભંડારને નામે ઓળખાતા અતિપ્રાચીન ગૌરવશાળી તાડપત્રીય જ્ઞાન ભંડારમાં જળવાયેલી છે. તેને અંગે નીચેના મુદ્દાઓ ઉપર વિચાર કરવામાં આવે છે -૧ ભારતીય કથાસાહિત્યની વિપુલતા. ૨ જેના પ્રવચનમાં ધર્મકથાનુગનું સ્થાન. ૩ કથાના પ્રકારો અને કથાવતુ. ૪ કયારત્નકેશગ્રંથને પરિચય. ૫ તેના પ્રણેતા. ૬ અન્ય નકથાગ્રંથાદિમાં કથારકાશનું અનુકરણ અને અવતરણ. ૭ સંશોધન માટે એકત્ર કરેલી પ્રાચીન પ્રતિઓને પરિચય તથા સંશોધન વિશેની માહિતી. ૧. ભારતીય કથાસાહિત્યની વિપુલતા.
આજની પ્રત્યક્ષ દુનિયામાં જે માનવપ્રજા વસે છે તેમાં ભણેલાગણેલા કુશાગ્રમતિવાળા લકે બે ત્રણ ટકા જેટલા જ છે, જ્યારે બાકીને ૯૭ ટકા જેટલો ભાગ અક્ષરજ્ઞાન વિનાને છતાં સ્વયં સ્કુરિત સંવેદનવાળે છે. આમાં કેવળ અક્ષરપરિચય ધરાવનારા અને અક્ષરપરિચય વિનાના છતાં પિતાની હૈયાઉકલતથી વ્યવહાર અને પરમાર્થને તાડ કાઢનારા લોકોનો સમાવેશ છે. આ ૯૭ ટકા જેટલી અત્યધિક સંખ્યા ધરાવનારા લોકે વિજ્ઞાન, તત્વજ્ઞાન, ગણિતવિદ્યા, ભૂગોળ કે ખગોળવિદ્યામાં ઊંડા ઊતરવા જરાય રાજી નથી તેમ તૈયાર પણ નથી. તેમને તે ઘણી સરળ રીતે સમજ પડે અને એ સમજદ્વારા જીવનને રસ માણી શકાય અને વ્યવહાર તેમજ પરમાર્થને સમજી માનવજીવનની કૃતકૃશતા અનુભવાય એવા સાહિત્યની અપેક્ષા છે. એટલે એ વસ્તુને આપણું પૂર્વ મહર્ષિઓએ વિપુલ પ્રમાણમાં કથા, ઉપકથા, આખ્યાને, આખ્યાયિકાઓ, ઐતિહાસિક ચરિત્ર આદિ સને પૂરી રીતે સંતેષી પણ છે. આ રીતે જોતાં કથાસાહિત્યને સંબંધ મુખ્યતયા આમજનતા સાથે છે, અને આમજનતા વિપુલ હોવાથી તેની સાથે સંબંધ ધરાવતું કથાસાહિત્ય પણ વિપુલ, વિવિધ અને આમજનતાની ખાસિયતોને લક્ષમાં રાખી
"Aho Shrutgyanam"