SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ઉરુ (સાથળ)ના ભેદ: (૧) કંપન, (૨) વલન, (૩) સ્તંભન, (૪) ઉદ્વર્તન, (૫) વિવર્તન. કંપન–વારંવાર પાની ઉંચી નીચી કરવાથી સાથળનું કંપાવવું તે. વલન–કોઈ વખત (ઠણ) ઘૂંટણ અંદરના ભાગમાં રહે છે. સ્તંભન– સાથળને સજજડ અને સ્થિર રાખવામાં આવે છે. ઉદ્વર્તન-પાનીને ભાગ અંદર અને ફણાને ભાગ વારંવાર બહાર તરછોડાય તે. વિવન–જેમાં પાની અંદરના ભાગમાં રહે તે. અધમ પાત્રોની ચાલમાં “કંપન” સીઓની છા ગતિમાં “વલન, ભય અને ખેદમાં “સ્તંભન.” વ્યાયામ, તાંડવમાં “ઉદ્વર્તન, તથા ભ્રાન્તિયુક્ત કરવામાં “વિવર્તન” થાય છે. બીજા ભેદ કેમાં જેવી રીતે જોવામાં આવતા હોય તેવી રીતે ગ્રહણ કરવા, જેવા (જાંઘ)ના ભેદ : (૧) આવર્તિત, (૨) નત, (૩) ક્ષિપ્ત, (૪) ઉદ્વાહિત, (૫) ૫રિવૃત્ત. આવતિત--- જેમાં જમણા પગ ડાબી તરફ અને ડાબો પગ જમણી તરફ લઈ જવામાં આવે છે. કેટલાક જાંઘના સ્વસ્તિક વેગને પણ કમે કરીને “ આવર્તિત' કહે છે. નત_જધાને નમાવવી તે. ક્ષિપ્ત-જંઘાને બહારના ભાગમાં ફેરવવી તે. ઉઢાહિત~-જંઘાને ઉંચી લેવી તે. પરિવૃત્ત { વિવર્તિત)--ક્રિાહિતથી વિપરીત ક્રિયા કરવી તે. વિદૂષકને ફરવામાં “આવર્તિત” સ્થાન અને આસન વગેરેમાં “નત,” વ્યાયામ વગેરેમાં “ક્ષિસ,” વક્રગતિમાં “ઉક.હિત,” અને તાંડવ વગેરેમાં “પરિવૃત” યોજાય છે. પાદકર્મ : પગના છ પ્રકાર છે: (૧) ઉદ્ઘટિત, (૨) સમજ, (૩) અતલસંચર, ( અંચિત, (૫) કુંચિત, (૬) સૂચીપાદ (સમપાદ). ઉદ્ઘટિત–જમીન ઉપર પગને ફેણ મૂકી પછી પાની વડે જમીન ઠેકવી છે. આ અભિનય કરણમાં અનુકરણ માટે પ્રયોજાય છે, તેમાં મધ્યમ પ્રચાર ત્યાગીને એક અથવા વધારે વખત પ્રાજ. સમગ્ર જમીન ઉપર રવ:ભાવિક સરખાં પગ મૂકી રહેવું તે. આને “સમપાદ” પણ કહે છે. તે સ્વાભાવિક અભિનયમાં તથા અનેક કારમાં જાય છે. પાદચિતમાં તેને ફરીથી ચંચળ કરે, અતલસંચરજેની પાની ઉંચી અને અંગુઠા લાંબા તથા આંગળીઓ સરખી શોભતી રહે છે. આ અભિનય પીડવું, ઠોકવું, તથા વધ કર, જમીન ઠપકારવી, ફરવું, ધાસ્તી તથા શાન્તિ વગેરે માં વેજ. અંચિતજેની પાની જમીન ઉપર રહે અને ફણ ઉંચો રહે તથા આગળીઓ સરખી શેખતી રહે છે. આ અભિનય “પાદાઝતલસંચાર”માં “વર્તતાદ્વર્તિત”માં તથા “અતિકારતક્રમમાં પ્રયોજાય છે. કંચિતપગની પાની ઊંચી તથા આંગળીઓ ઉચી રાખી, પગને મધ્યભાગ વાંકા રાખવો તે. આ અભિનય “અતિકાન્તઝમ''માં તથા ઉંચી વરંતુ પકડવામાં યોજાય છે. સૂચીપાદ–જમણા પગની પાની ઉંચી રાખી અંગુઠો જમીનને અડાડ અને ડાબે પગ સ્વાભાવિક રીતે જમીન ઉપર મૂકે છે. આ અભિનય નૃત્તમાં, અન્ત:પુર કરણમાં અને નૂપુર પહેરવામાં જાય છે. ઉપર બતાવેલ પગનું કર્મ ગાઠ તથા સાથળનાં કર્મની સાથે જ કરવું, કારણ પગનું કામ કરવાથી જ ગોઠણ તથા સાથળ ફરે છે. માટે બંનેનું સાથે ફરવું તેને જ પાદસંચારી કહે છે. "Aho Shrutgyanam
SR No.008470
Book TitleSangit Natya Rupavali
Original Sutra AuthorN/A
AuthorVidya Sarabhai Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1963
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy