SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્ર વિવર [ ૧૯ ચિત્ર ૩૭. શ્રીનેમિજન્મ. પ્રતના પાના ૬૭ ઉપરથી. આ ચિત્રની પહોળાઈ અને લંબાઈ પણ ૩૪૩ ઈંચ છે. વર્ષાકાળના પહેલા મહિનામાં, શ્રાવણ સુદી પંચમીની રાત્રે, નવ માસ બરાબર સંપૂર્ણ થતાં ચિત્રા નક્ષત્રમાં ચંદ્રના ચોગ પ્રાપ્ત થતાં, આરોગ્ય દેહવાળી શિવાદેવીએ આરોગ્યવાળા પુત્રને જન્મ આપે. ચિત્રની જમણી બાજુએ અંદર પલંગ ઉપર શિવાદેવી માતા શ્યામ વર્ણવાળા પ્રભુને બાળકરૂપે લઈને સૂતેલાં છે. તેમની પાસે પગની આગળ બે પરિચારિકાઓ ઊભેલી છે. ઉપર છતના ભાગમાં સુંદર ચંદર બાંધે છે. ચિત્રની ઠેઠ ઉપરના ભાગમાં ત્રણ વાતાયને હવા આવવા માટે ચીતરેલાં છે. પલંગની નીચે સગડી તથા પાણીની ઝારી વગેરે પડેલાં છે. શિવાદેવી માતા તથા બને સ્ત્રી પરિચારિકાઓની વેશભૂષા ખાસ દર્શનીય છે. ફલક ૩૧ ચિત્ર ૩૮. શ્રીનિમિનાથનું સમવસરણ. પ્રતના પાના ૭૧ ઉપરથી. આ ચિત્રની પહેળાઈ અને લંબાઈ પણ ૩૪૩ ઈંચ છે. અરહત અરિષ્ટનેમિએ ચેપન રાત-દિવસ ધ્યાનમાં રહેતાં તેમણે હમેશાં શરીર તરફના લક્ષ્યને તજી દીધેલ હતું અને શારીરિક વાસનાઓને છેડી દીધેલ હતી. અરહુત અરિષ્ટનેમિ એ રીતે ધ્યાનમાં રહેતાં પંચાવનમાં રાત દિવસની મધ્યમાં વર્તતા હતા, ત્યારે જે તે વર્ષાઋતુને ત્રીજો માસ, પાંચમો પક્ષ એટલે આસો માસના (ગુજરાતી ભાદરવા માસના) અંધારીયા પખવાડીયામાં પંદરમા દિવસે--અમાવાસ્યાઓ, દિવસના પાછલા ભાગમાં ઉજજયંત નામના પર્વતના શિખર ઉપર, વેતસ-નેતરના ઝાડની નીચે, પાણી વગરને તેઓએ અડ્ડમ કરેલ હતો, બરાબર એ સમયે, ચિત્રા નક્ષત્રમાં ચંદ્રમાનો પેગ પ્રાપ્ત થતાં, શુકલધ્યાનની મધ્યમાં વર્તતા પ્રભુને, અનંત એવું ઉત્તમ કેવળજ્ઞાન અને ક્વબદન ઉત્પન્ન થયું. સમવસરણના વર્ણન માટે જૂઓ ચિત્ર ૨૯નું વર્ણન. ચિત્રની મધ્યમાં શિખના લંછનવાળા અને શ્યામવર્ણવાળા શ્રી નેમિનાથજી પ્રભુ પદ્માસનની બેઠકે બેઠેલા છે. ચિત્ર ૩૯. પ્રભુ મહાવીરના છ ગણધરે. પ્રતના પાના ૮૨ ઉપરથી. આ ચિત્રની પહેલાઈ અને લંબાઈ ૨૪૩ ઇંચની છે. પ્રભુ મહાવીરને કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી તેની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ. ત્યાંથી વિહાર કરીને અપાપાપુરીની પાસે આવેલા મહુસેન નામના ઉદ્યાનમાં પધાર્યા. તે વખતે અપાપાપુરીમાં શામિલ નામના બ્રાહ્મણને ઘેર યજ્ઞ કરવા સારુ, તે વખતના ઘણ વિદ્વાન બ્રાહ્મણે ભેગા થયા હતા. તેમાં ૧ ઇંદ્રભૂતિ, ૨ અગ્નિભૂતિ અને ૩ વાયુભૂતિ નામના ભાઈઓ પાંચ, પાંચસે શિષ્યના પરિવાર સાથે આવ્યા હતા. ૪ વ્યક્ત અને પ સુધર્મા નામના બે પંડીતે પણું પાંચસે, પાંચસો શિષ્યોના પરિવાર સાથે આવ્યા હતા. ૬ મંડિત અને ૭ મૌર્યપુત્ર નામના બે પંડિત સાડાત્રણસે, સાડાત્રણ શિષ્યોના પરિવાર સાથે આવ્યા હતા. ૮ અકૅપિત, ૯ અચલબ્રાતા, ૧૦ મેતાર્ય અને ૧૧ પ્રભાસ નામના ચાર પંડીતે પણ ત્રણ, ત્રણ શિષ્યના પરિવાર સ હતા. અગિયારે પંડીતને જૂદી જૂદી શંકાઓ હતી. આ અગિયારે પંડીતને જૂદી જૂદી શંકાઓ હોવા છતાં સર્વજ્ઞત્વના અભિમાનને લીધે, એક "Aho Shrutgyanam
SR No.008469
Book TitleJain Chitra Kalpadruma 2
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy