________________
૨૩
ગુજરાતની જેનાશ્રિત કળા અને તેનો ઈતિહાસ શોભાયમાન ચિત્રશાળામાં વિશે તપ કર્મ કરતા અને પરસ ભોજન કરતો હું ચાર માસ પર્વત રહીશ, એવો હું અભિગ્રહ કરું છું.”
ઉપરોક્ત ગ્રંથ સિવાય ચિત્રકળા માટેના બીજા સંકડે ઉલ્લેખ જૈન સાહિત્યના ગ્રંથમાં મળી આવે છે, પરંતુ વિસ્તારભયથી આટલી નોંધથી સંતોષ માનવો પડ્યો છે.
ગુજરાતની જૈન સંરકૃતિ
‘સનવ્યા જેને રસશણગાર,
લતામંડપ સમ ધર્માગાર-ન્હાનાલાલ ગરવી ગૂર્જરભૂમિ પોતાની સુંદરતા અને સમૃદ્ધિને માટે જગતના જાણીતા પ્રદેશોમાં ઘણા જૂના જમાનાથી-ઇતિહાસના પ્રારંભકાળથી જ વિખ્યાત થએલી છે. ગૂર્જરભૂમિ એટલે સાંદર્ય અને સમૃદ્ધિશાળી ભૂમિઓની જાણે રાણી. એની જમીન રસવતી અને નદીઓ નીરવતી, એનાં વને રાજવૃોથી ઘેરાએલાં અને એનાં ક્ષેત્રો સુધાથી છવાએલાં, એનું જલ આરોગ્યકર અને પવન આલ્હાદકર, એનું વાતાવરણ સૌમ્ય અને ઋતુમાન સર્વાનુકૂળ–એવી એવી પ્રાકૃતિક વિશિષ્ટતાઓને લીધે એ ભૂમિની આકર્ષકતા અન્ય ભારતીય દેશની અપેક્ષાએ ઘણી મેહક થઈ પડી છે. એના શિરે ભાગ તરફ આવી રહેલા હિમાલયના લધુ ભ્રાતા જેવો અર્બુદાચલ પિતાના પ્રત્યંત પર્વતવાળા પરિવારથી, એ ભૂમિને જાણે મુકુટધારિણી બનાવી રહ્યા છે. એના વક્ષ:સ્થળ ઉપર વહેતી સરસ્વતી, ભ્રમતી (સાબરમતી), મહી, નર્મદા અને તાપી જેવી સરિતાઓએ પિતાની ઉર્જવલ જલધારાઓથી એને “પંચસરહારધારિણી'ની ઉપમા અપાવી છે. રત્નાકર સમુદ્ર પોતાના પ્રચંડ લેલેથી એના પાદતલનું પ્રક્ષાલન કરી એને પૂણ્યભૂમિની પદવી પ્રાપ્ત કરાવી છે. પ્રાચીન સમયના “અહિંસા પરમ ધર્મના આધ સંસ્થાપક યુગાદિદેવ શ્રી ઋષભનાથ (જૈનેના ચોવીસ તીર્થંકર પૈકીના પ્રથમ તીર્થંકર), નૈષ્ઠિક બ્રહ્મચર્યને અનુભૂત આદર્શ આપનાર યાદવકુલતિલક શ્રી નેમિનાથ (જૈનોના બાવીસમા તીર્થંકર), કર્મવેગને સક્રિય માર્ગ ઉપદેશનાર વાસુદેવ શ્રીકૃષ્ણ વગેરે દિવ્ય પુએ પોતાના પાદસ્પર્શથી એ ભૂમિને પવિત્રતાની મુદ્રા સમર્યાં છે. જેન, બ્રાહ્મણ, બૌદ્ધ, ખ્રિસ્ત, જરથોસ્ત અને ઈસ્લામ જેવા જગતના સર્વ પ્રધાને ધર્માનુયાયીઓને ઉદાર આશ્રય આપી એ ભૂમિએ ધર્મભૂમિની માનવંતી કીર્તિ મેળવી છે. એના શિરોભાગ તરફ આવેલી અર્બુદાચલની પર્વતમાળા, નિમ્નભાગ તરફ આવેલી મહાસમુદ્રની વિચિમાળા, દક્ષિણુપાર્શ્વ તરફ આવેલી નર્મદા તાપી જેવી નદીની જેડી,આમ પૃથ્વી ઉપરની પર્વત, સિંધુ, રણું અને નદી જેવી વિશિષ્ટ વિભૂતિઓના પરિકરથી પરિવૃત થએલી આ ભૂમિ જાણે કોઈ દિવ્યશક્તિધારિણી દેવી હોય તેવી શાભે છે.
ગૂર્જરભૂમિની આવી સુંદરતા અને સુભગનાને સાંભળી છેઠ ઈતિહાસકાળથી લઈ વર્તમાન શતાબ્દીના આરંભ સુધીમાં અનેક પ્રજા વર્ગો એનો ઉપભોગ કરવા કે આશ્રય લેવા આકર્ષાયા છે.