________________
જેન ચિત્રકામ જોડીને ઇન્દ્રની આજ્ઞાને સ્વીકાર કરતો નમ્રભાવે ઉભેલો છે, તે પણું વસ્ત્રાભૂષણથી સુસજજત છે. તેના મસ્તક ઉપર પણ છત્ર છે. બંનેના કપાળમાં છે આવી જાતનું તિલક છે જે તે સમયના સામાજિક રિવાજનું અનુકરણ માત્ર છે. ચિત્ર ૮૭ શસ્તવ. ઈડરની પ્રતના પાના ૯ ઉપરથી. ચિત્રનું કદ ૨*૨ ઈચ છે. સધર્મેન્દ્ર શુક્ર નામના સિંહાસન ઉપર બેઠાબેઠાં પિતાના અવધિજ્ઞાન વડે શ્રમણ ભગવાન મહાવીરને, ઋષભદત બ્રાહ્મણની ભાર્યા દેવાનન્દા બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થએલા જોયા. જતાં જ તે હર્ષિત થયો. હર્ષના અતિરેકથી, વરસાદની ધારાથી પુષ્પ વિકાસ પામે તેમ તેના રોમરાજી વિસ્વર થયા, તેનાં મુખ અને નેત્ર ઉપર પ્રસન્નતા છવાઇ રહી, તરત જ શક્રેન્દ્ર આદર સહિત ઉત્સુકતાથી પિતાના સિંહાસન ઉપરથી ઉઠશો, કાઠીને પાદપીઠથી નીચે ઉતર્યો. ઊતરીને રત્નોથી જડેલી બંને પાદડાઓને પગમાંથી ઉતારી નાખી. પછી એક વસ્ત્રવાળું ઉત્તરસંગ ધારણ કરીને અંજલિ વડે બે હાથ જોડી તીર્થકરની સન્મુખ સાત-આઠ પગલાં ગયા.
પછી પિતાને ડાબો ઢીંચણું લાભ રાખી, જમણા ઢીંચણને પૃથ્વી ઉપર લગાડીને પિતાનું મસ્તક ત્રણ વાર પૃથ્વીતળને લગાડયું, અને તે સાથે પિતાના શરીરને પણ નમાવ્યું. કંકણું અને બેરખાંથી ખંભિત થએલી પોતાની ભુજાઓને જરા વાળાને ઊંચી કરી, બે હાથ જોડી, દસે નખ ભેગા કરી, આવર્ત કરી મસ્તકે અંજલિ જોડીને શસ્તવ વડે પ્રભુ શ્રીમહાવીરની સ્તુતિ કરી.
ચિત્રમાં જમણી બાજુએ ઇન્દ્ર પિતાના બંને ઢીંચણ પૃથ્વીતળ ઉપર લગાડી બે હાથની અંજલિ ડેલે મસ્તક તથા શરીરને નમાવવાની તૈયારી કરો અને એક હાથમાં વજી ધારણ કરેલે દેખાય છે, તેના મસ્તક ઉપર એક સેવકે પાછળ ઊભા રહીને બે હાથે છત્ર ૫કડીને ધરેલું છે, 'છત્ર ધરનારની પાછળ બીજી એક પુરુષ વ્યક્તિ બે હાથની અંજલિ જેડીને તથા ચિત્રની ડાબી બાજુએ ઉપરના ભાગમાં બે પુજ્ય વ્યક્તિએ પોતાના બંને ઢીંચણ પૃથ્વીતળને ઇન્દ્રની માફક જ અડાડીને ભક્તિ કરવા માટે તત્પરતા બતાવતા ચિત્રકારે ચીતરેલા છે. આ ચિત્રમાં દરેક આકૃતિના કપડામાં મૂળ ચિત્રમાં જુદીજુદી જાતની ડિઝાઈને ચીતરવા માટે જુદી જુદી જાતને રંગ જેવા કે ગુલાબી, પીરોજી, આસમાની, વગેરે અંગેનો તાડપત્રની પ્રતો ઉપર પહેલવહેલી વાર જ ઉપગ કરેલ છે. અગાઉનાં દેવીનાં ચિત્રોમાં જુદીજુદી જાતના સ્ત્રીઓના પહેરવેશની રજુઆત આપણે કરી ગયા છીએ, પરંતુ પુજ્ય વ્યક્તિઓના પહેરવેશમાં જુદીજુદી જાતની ડિઝાઈનની રજુઆત આ પ્રતનાં ચિત્રો સિવાય બીજી કોઈપણ પ્રતમાં રજુ કરવામાં આવેલી દેખાતી નથી. આ ચિત્ર ઉપરથી પ્રાચીન સમયમાં ગુજરાતનાં પુરુ પાત્રો કેવી વિવિધ જાતનાં અને ગબેરંગી વસ્ત્રો પરિધાન કરતાં હતાં તેને ખ્યાલ આવે છે. ચિત્ર ૮ શક્રાજ્ઞા. ઇડરની પ્રતના પાના ૧૨ ઉપરથી. ચિત્રનું મૂળ કદ ૨૨૪ ઇંચ છે.
શકસ્તવ કહીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન અને નમસ્કાર કરીને, ઇન્દ્ર પિતાના સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મૂખ રાખીને બેઠે. ત્યાર પછી દેવોના રાજન શકેદ્રને વિચાર થયો કે તીક, ચક્રવતઓ, બલદેવો અને વાસુદેવ માત્ર શુદ્ધ અને ઉચ્ચ ક્ષત્રિય કુળમાં જ જન્મ લઇ