________________
મેતા મુનિની કથા
[ ૩૦૯ ] ત્યારપછી શેઠે મેતાર્ય માટે અતિરૂપવતી અને લાવયથી પૂર્ણ વજનવાળી આઠ કન્યાઓ સાથે વિવાહ કર્યો. હવે ઘણું મોટી ઋદ્ધિ સહિત પાણિગ્રહણ માટેનો લગ્નોત્સવ આરંભે. નવવધૂઓની સાથે મેતા સુંદર રથમાં બેસીને વરઘોડો કાઢીને તથા ધવલ-મંગળનાં મોટેથી ગીત ગાતી હજારો સ્ત્રીઓની સાથે રાજગૃહી નગરીના રાજમાર્ગ, ચારમાર્ગ, ચૌટા, ચોક વગેરે માગૅમાં જાનૈયા સાથે ચાલી રહેલ છે.
હવે અહિ પિલ દેવતા ચંડાળના શરીરમાં પ્રવેશ કરીને રુદન કરવા લાગ્યા. પનીએ પૂછયું કે, “રુદન કરવાનું શું કારણ છે ?” ત્યારે પતિએ પત્નીને કહ્યું કે, “ આજે હું રાજમાર્ગથી આવતો હતો, ત્યારે મેતાર્યને વિવાહ-મહોત્સવ મેં જોયે. જે તારી પુત્રી જીવતી હેત, તે હું પણ તેને એ જ પ્રમાણે કરતે.
પિતાના પતિના દુખે દુઃખી થએલી તે ચાંડાલિનીએ પતિને સાચું રહસ્ય કહી દીધું અને કહ્યું કે, “તમે રુદન ન કરો. મરેલી પુત્રી તો તેની જ હતી, જ્યારે મેતાર્યું પુત્ર તે તમારે જ છે. તે બિચારી મારી બહેન પણ મરેલા બાળકને જન્મ આપનારી છે, પહેલાં પણ તેણે ઘણે વખત મારા પુત્રની માગણી કરી હતી. એક જ સમયે અમે જ્યારે પુત્ર-પુત્રીને જન્મ આપ્યા, ત્યારે કોઈ ન જાણે તેમ મેં તેને પુત્ર આપ્યો હતો. ત્યારે આ ચંડાળ કહેવા લાગ્યું કે, “હે પાપિ ! આ કાર્ય તે ઘણું ખોટું કર્યું ગણાય. એમ બોલતો તે એકદમ મેતાર્યની પાસે પહોંચ્યા, અને તેને પૃથ્વી પર નીચે પટકાવીને કહે છે કે, “અરે! તું મારા પુત્ર છે અને તે પાપી ! તું આ ઉત્તમ જાતિની કન્યાઓને વટલાવે છે ? તું મારો પુત્ર છે અને પાપિ તારી માતાએ તે શેઠને અર્પણ કર્યો, તે વાત હું કેવી રીતે સહી શકું? માટે આપણા ચંડાલના પાડામાં પ્રવેશ કર.
સમગ્ર કન્યાઓનાં માતા-પિતાઓ #ભ પામ્યાં અને ભેઠા પડી ગયાં, તેઓ તે હવે શું કરવું? તેવા વિચારમાં મૂઢ બની ગયા, તેઓની વચ્ચેથી આ ચાંડાલ ખેંચીને ઘસડી ગયે. ત્યાં ભવનમાં લઈ ગયા પછી અદશ્ય દેવતાએ મેતાને કહ્યું,
જો તું પ્રવજ્યા લેવા માટે તૈયાર થાય, તે આ ચંડાળના વાડારૂપ કૂવામાંથી તને બહાર કાઢું.” તેણે કહ્યું કે, હવે તે કેવી રીતે બની શકે ! મારી હલકાઈ કરવામાં તે કશી બાકી રાખી નથી.” દેવે કહ્યું, “હજુ પણ કંઈ ગયું નથી. માટે વ્રત ગ્રહણ કર.'
ત્યારે મેતાર્ય દેવને કહેવા લાગ્યું કે, બાર વરસ તે મને સુખેથી વિષય ભોગવવા દે, ત્યાર પછી મને મુંજવશે અને તું કહેશે, તેમ કરીશ. તે મારા પર પ્રસન્ન થા અને હાલ મને વિષયસુખ આપ.” દેવતાએ પૂછયું કે, “હવે તારી શુદ્ધિ કયા પ્રકારે કરવી ? મેતાએ કહ્યું કે, “શ્રેણિકાજાની પુત્રી સાથે મારાં લગ્ન કરાવી આપ. જે તું શ્રેણિકાજાને અઢળક ધન આપીશ, તો તે શ્રેણિક રાજા પોતાની પુત્રી નક્કી માતંગ હોવા છતાં પણ મને આપશે.”
"Aho Shrutgyanam