________________
ગજસુકુમાલમુનિની કથા
{ ૨૫૩ } પ્રત્યેનું નેહ-વાત્સલ્ય સમાતું ન હતું. દેવકીએ પણ નવીન રસપૂર્ણ તૈયાર કરાવેલા -વિશાળ સિંહ કેસરિયા માદક વોરાવ્યા,
વહોરાવીને જેટલામાં દેવી બેઠી, તેટલામાં બીજું સુનિયુગલ ત્યાં પ્રવેચ્યું. એક સમગ્ર ગુણયુક્ત અજિતસેન મુનિ અને તેની પાછળ અનુસતા નિહતસેન મુનિ વહેવા આવ્યા. તેમને પણ વિકસિત મુખવાળી દેવીએ લાડુથી પ્રતિલાવ્યા. ડીવારમાં અપ્રમત્ત એવા ત્રીજા મુનિયુગલની જોડી ત્યાં આવી પહોંચી. તેમાં જે અગ્રેસર મોટા મુનિનું નામ દેવસેન મુનિ અને તેની પાછળ આવતા હતા, તે મુનિનું નામ શત્રુસેન મુનિ. તેમને પ૭ અતિભાવ-ભક્તિથી અતિઉત્તમ લાડુ પ્રતિલાવ્યા.
હવે લાડુઓ પ્રતિલાવ્યા પછી લાંબા કાળ સુધી દેવકી મનમાં વિચારવા લાગી કે, “આ મહામુનિના સંઘાટકો અહિં ઘરમાં વારંવાર કેમ વહોરવા આવતા હશે? હવે તે શ્રેષ્ઠ ભક્તિ-ભાવ પૂર્વક મુનિ કુમારના ચરણમાં પ્રણામ કરીને તે દેવકી તેમને પૂછવા લાગી કે, “હે મુનિવર ! વારંવાર ફરી ફરી મારા ઘરમાં પધારો છે, તેમાં તમો દિશા કે માનું ભૂલી ગયા છો? અથવા તે હે સવામી ! આ ધન-ધાન્યની સમૃદ્ધિવાળા આ સ્થાનમાં કયાંઈથી શિક્ષા પ્રાપ્ત થતી નથી અથવા તો અમે ભ્રમિતચિત્તવાળા થયા છીએ કે, તમે તેના તે જ ફરી ફરી કેમ આવતા હશે ? આ વિચારું છું.” હવે સાધુ દેવકીને પ્રત્યુત્તર આપે છે કે, “હે મહાનુભાવો! હું તમને સાચી યથાર્થ હકીકત કહું, તે સાંભળો” –
ભદિલપુર નગરમાં એક ભાવિક નાગશેઠ અને તેમને પતિમાં અતિશય નેહ રાખનાર સુરસા નામની જાય છે. તે બંને સુંદર જિન ધર્મ વિશે અનુરાગવાળા, તેમ જ દેવગુરુના ચરણોની સેવા કરનારા એવા તેના અમે દેવ સરખા રૂપવાળા તેમ જ પુણ્ય-કારુણ્યના ફૂપ અખા અમે છએ તેમના પુત્ર છીએ. પૃથ્વી પર વિચ૨તા નેમિનાથ ભગવંતની દેશના સાંભળી અમે એ પ્રતિબોધ પામ્યા અને દીક્ષા અંગીકાર કરી. તેમાંથી અમો બન્નેના સંઘાટક તરીકે જુદા જુદા સર્વ આવેલા છીએ. વારાફરતી સમાન રૂપવાળા અને જુદા જુદા આવ્યા હતા, પણ ત્રણ વખત અમે તમારે ઘરે આવ્યા નથી.”
મુનિનાં વચન સાંભળીને અતિવર્ષ વહન કરતી રોમાંચિત થએલ કાયાવાળી દેવકી વારંવાર મુનિને વંદન કરવા લાગી અને તેમને અભિનંદન આપવા લાગી. વળી હર્ષ પામેલી ચિંતવવા લાગી કે, “હું જ્યારે કૃષ્ણ સરખા રૂપવાળા આ સાધુસિંહનાં દર્શન કરું છું, ત્યારે મારું ચિત્ત અતિશય આનંદ પામે છે, જાણે મારા નયનોમાં અમૃત જળ સ્થાપન કર્યું હોય તેમ વિકસિત થાય છે.”
શું કૃષ્ણ વક્ષ પ્રદેશમાં શ્રી વત્સના લંછન કર્યા હોય, તેવાં સાત રૂપ કર્યા છે કે શું? હું બાલ્યવયની હતી, ત્યારે અઈમુત્તા (અતિમુકતક) મુનિએ મને કહેલું
"Aho Shrutgyanam