SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ------ -------- - --- -- ~----- ~- ~ ~~ વાનર-દંપતીની કથા [ ૧૫૯ ] હું ઊંઘી જાઉં અને ફરી સ્વપ્ન આવ્યું સ્થાન જાણું લઉં એટલે તેમને ભોજન કરાવું” તે પગ લાંબા કરી ફરી મેળવવા માટે સુઈ ગયો, શિષ્ય ઘણું ના કહી. લકે મોટા કોલાહલ કરવા લાગ્યા અને બેલવા લાગ્યા કે, શિષ્ય મૂખ, ગુરુ મહામૂર્ખ, આ બંનેનો સગ આંધળા પિતા અને બહેરા પુત્ર સખે થયે છે. યથાર્થ જ કહેલું છે કે:-“ શ્વેતામ્બરાને સમ્યજ્ઞાન, ભસ્મ-મભૂતિ લગાડનારને અજ્ઞાન, બ્રાહ્માને અક્ષમા, દિગંબરોને કુક્ષિ પૂર્ણ કરવી.” ગામલોકો ગુરુ-ચેલાનું પ્રગટ હાસ્ય કરે છે, તો પણ તે બંને તેનું લક્ષ્ય કરતા નથી. અટ્ટહાસ્ય કરતાં સમગ્ર ગામલેક પિતાના સ્થાનકે ગયા. માટે હું શુભાશયવાળી! સ્વપ્નમાં મેળવેલા માદક વડે નગરલોકને આમંત્રણ આપી જડતાથી જગતને જિતનાર ભૌતાચાર્ય હાયપાત્ર બન્યા, તેમ સ્વપ્ન સરખા અપક્ષમાં નાશ પામવાના સ્વભાવવાળા ભગવડે મારા મનને લેભાવતી તું હાસ્ય પાત્ર કેમ નહિં થાય? તે વિચાર. ભૌતાચાર્યની સ્થા પૂર્ણ વાનર-દંપતીની કથા ત્યારપછી પદમશી નામની બીજી પત્ની કહેવા લાગી કે, “હે પ્રિય ! અમને પ્રાપ્ત કરીને તમે અમારા ત્યાગ કરે છે, પરંતુ પાછળથી તમને વાનરની જેમ પસ્તાવો થશે એક અટવીમાં અતિનેહી વાનયુગલ રહેતું હતું. દરેક વૃક્ષે કુદતું કેકડા મારતું ફરતું ફરતું કોઈક વખતે ગંગાના કિનારે આવી પહોંચ્યું, ત્યાં ઘણી વિશાળ ડાળો - વાળા એક વૃક્ષની શાખા ઉપર ક્રીડા કરતા હતા. કેઈક વખતે માકડે ફાળ મારી પણ અવલંબન ચૂકી જવાથી તે નીચે પડો. કઠણ પૃથ્વીપીઠનો સજજડ પ્રહાર - લાગવાથી પીડા પામે તે માકડા દેવકુમાર સરખે મનુષ્ય યુવાન બની ગયો. તે સમયે વાનરીએ વિચાર્યું કે, “ અહોહો ! આ તીર્થ પ્રભાવવાળી ભૂમિ છે. તે માર્કેટ માફક હું પણ મારા આત્માને અહિં પાડું. પતિવિયોગથી ક્ષેમ પામેલી હું આ અરયમાં એકલી શું કરીશ?” તે ખરેખર માનુષી બનીને આના ખોળામાં કીડા કરું.’ તેવી રીતે વાનરી પણ ભૂમિ ઉપર પડી એટલે કામદેવની પ્રિયા પતિના સરખા રૂપવાળી બની ગઈ. હર્ષપૂર્ણ હૃદયવાળાં બંને ક્રીડા કરવા લાગ્યાં. હવે યુવતીને પુરુષ કહેવા લાગે કે, “ વાનરમાંથી પુરુષ થયે તે ફરી નીચે પડું તે હે પ્રિયા ! હું નક્કી દેવકુમાર -થઈશ.' પત્નીએ કહ્યું કે, “હે વામી! તમે હવે અતિલોભ ન કરો, દેવયુગલના -રૂપ સરખા નવદંપતીમાં આપણને કશી કમીના નથી. ફરી પડવાથી કદાચ મળેલી વસ્તુનો નાશ થાય માટે મારું કહેવું માન્ય રાખે. દેવતાઈ વચન માફક મારા વચનનું ઉલંઘન ન કરશે.” એમ વારંવાર વિનવણી કરીને રોકે છે; છતાં પણ કરી - નીચે પડતું મૂકયું એટલે પાછો હતો તે વાનર બની ગયા. અતિદીન મનવાળે "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy